Feb 14, 2020

ભાગવત રહસ્ય-૧૮૯

તે પછી સાતમા મન્વંતરમાં શ્રાદ્ધદેવ નામે મનુ થયેલા.તેમના વખતમાં કશ્યપ અને અદિતિને ત્યાં ભગવાન વામનરૂપે અવતરેલા.
દેવ અને દૈત્યોના યુદ્ધ પછી દૈત્યો શુક્રાચાર્યને શરણે ગયા. શુક્રાચાર્યની સેવાથી દૈત્યોનું બળ વધવા લાગ્યું..પ્રત્યેક ઇન્દ્રિયથી સંયમનું પાલન કરે તે શુક્રની ઉપાસના છે.ઇન્દ્રથી હારેલો બલિરાજા બ્રાહ્મણોની સેવા કરી પુષ્ટ થયો.શુક્રાચાર્યે બલિરાજાને કહ્યું –તે પ્રમાણે તેણે વિશ્વજીત યજ્ઞ કર્યો અને યજ્ઞમાંથી સર્વજીત રથ નીકળ્યો.

Feb 13, 2020

ભાગવત રહસ્ય-૧૮૮

રાહુ અમૃત પીવા લાગ્યો, મોહિની ભગવાને ત્યારે સુદર્શનચક્રથી તેનું માથું ઉડાવ્યું છે.પણ રાહુ અમૃત પી ગયો હતો એટલે તેનું માથું અને ધડ બંને અમર થયા છે.
એના રાહુ અને કેતુ નામના બે ગ્રહો થયા.
રાહુ (વિષયો) નું માથું કાપ્યું પણ તે છતાં તે જીવે છે.વિષયો સૂક્ષ્મરૂપે મનમાં રહે છે.તે ક્યારે જાગે તે કહેવાતું નથી. માનવ થોડો ગાફેલ થયો –કે-રાહુ માથું બહાર કાઢે છે. અંદર કામ છે ક્રોધ છે તે ક્યારે ખાડામાં ફેંકે તે કહેવાય નહિ.

Feb 12, 2020

ભાગવત રહસ્ય-૧૮૭

લક્ષ્મીજી તો નારાયણને જ વરે છે.જેનું હૃદય -પ્રેમમય,કોમળ અને મૃદુ હોય અને- એમાં નારાયણનો વાસ હોય, તેને ત્યાં લક્ષ્મી આવે છે.લક્ષ્મીજીએ વરમાળા અર્પણ કરી ત્યારે ભગવાન ચારે બાજુ જોવા લાગ્યા.ત્યાં સુધી ભગવાનની નજર ધરતી પર હતી.જેની પાસે પૈસો હોય તેને આજુ બાજુ ચારે બાજુ નજર રાખવાની અને સર્વના દુઃખો દૂર કરવાનાં.તો જ લક્ષ્મી ,ઘરમાં અખંડ વિરાજશે. આજકાલ લોકોને પૈસા મળ્યા પછી,તેમને બીજું કંઈ દેખાતું નથી.હું મારી અલી, અને બાબો.