યશોદાજી, લાલાને સ્તનપાન કરાવતાં લાલા જોડે એક થયાં છે.અદ્વૈત થયું છે.તે સર્વ સંસારિક કાર્યો ભૂલી ગયા છે,તે ભૂલી ગયા છે કે,થોડા સમય પહેલા ચૂલા પર દૂધ મુક્યું છે.કનૈયાએ અગ્નિ ને આજ્ઞા કરી છે કે- જરા વધુ પ્રજ્વલિત થા, જેથી દૂધમાં ઉભરો આવશે,દૂધ ચૂલામાં પડશે,નુકસાન થશે,અને જો મા મને છોડીને તે દૂધ ઉતારવા જશે,નુકસાન થતું રોકવા જશે તો –તેને સંસાર વહાલો,અને જો તેની (નુકસાનની) ચિંતા નહિ કરે તો હું વહાલો.મારી મા શું કરે છે તે મારે જોવું છે.
Jul 29, 2020
Jul 28, 2020
ભાગવત રહસ્ય -૩૪૫
કનૈયો ઘુંટણે ચાલતો યશોદામા ના પાસે આવ્યો અને મા ને કહે છે –મા મને ભૂખ લાગી છે.યશોદાજી એ ગોળી તરફ નજર કરી,થોડું માખણ ઉપર આવ્યું છે –તે વિચારે છે-કે-માખણ ઉતારીને લાલાને ધવડાવીશ.યશોદાજી એ જે કામ હાથમાં લીધેલું તે મુકવાનું મન થતું નથી.મા કનૈયા ને ગોદમાં લેતી નથી એટલે લાલો રડવા લાગ્યો.એટલે મા નું હૃદય પીગળ્યું છે.મા એ બધું કામ મૂકીને કનૈયાને ગોદ માં લીધો અને કનૈયાને ધવડાવવા લાગ્યા.
Jul 27, 2020
ભાગવત રહસ્ય -૩૪૪
ઇશ્વરને જગાડવાના છે.શ્રીકૃષ્ણ તો સર્વવ્યાપક છે.હૃદયમાં શ્રીકૃષ્ણ છે પણ સુષુપ્ત અવસ્થામાં છે.ઈશ્વર તો દરેકના હૃદયમાં છે,ફક્ત તેને જગાડવાની જ જરૂર છે.
યશોદાજી જેવી માનસ,વાચા અને કર્મણાથી ભક્તિ થાય તો કનૈયો જાગે છે.
શ્રીકૃષ્ણ એટલે આનંદ.આનંદ હૃદયમાં છે,તે આનંદને જગાડવાનો છે.મન,વચન અને કર્મ-આ ત્રણ ભક્તિરસમાં તરબોળ બને તો આનંદ જાગે છે.જીવ સંસારના જડ પદાર્થમાં આનંદ શોધવા જાય છે,એટલે આનંદ મળતો નથી.
આનંદ બીજામાં છે –એવી કલ્પના ખોટી છે.ઈશ્વર સાથે જીવને તન્મય થવાની જરૂર છે.
યશોદાજી જેવી માનસ,વાચા અને કર્મણાથી ભક્તિ થાય તો કનૈયો જાગે છે.
શ્રીકૃષ્ણ એટલે આનંદ.આનંદ હૃદયમાં છે,તે આનંદને જગાડવાનો છે.મન,વચન અને કર્મ-આ ત્રણ ભક્તિરસમાં તરબોળ બને તો આનંદ જાગે છે.જીવ સંસારના જડ પદાર્થમાં આનંદ શોધવા જાય છે,એટલે આનંદ મળતો નથી.
આનંદ બીજામાં છે –એવી કલ્પના ખોટી છે.ઈશ્વર સાથે જીવને તન્મય થવાની જરૂર છે.
Subscribe to:
Comments (Atom)


