દશમ સ્કંધમાં ભાગવતના ટીકાકારો પાગલ બન્યા છે.જેમ જેમ ઊંડાણમાં વિચારે તેમ તેમ નવા નવા અર્થો સામે આવે છે.ટીકાકાર કહે છે કે-યશોદાજીને કનૈયા કરતાં દૂધ વધુ વહાલું નહોતું,તેઓ દૂધ ઉભરાઈ જાય અને નુકસાન થઇ જાય તેના માટે દોડેલા નહોતા પણ ચૂલા પર જે દૂધ મુકેલું હતું તે ગંગી ગાયનું દૂધ હતું,એટલે યશોદાજીએ વિચાર કર્યો કે –લાલો ગંગી ગાયનું જ દૂધ પીએ છે,ગંગી ગાય સિવાય બીજું કોઈ દૂધ લાલાને ભાવતું જ નથી,તેથી જો દૂધ ઉભરાઈ જાય અને લાલો દૂધ માગે તો શું આપીશ? એમ વિચારી ને લાલાને માટે જ યશોદાજી દોડેલા.
Jul 30, 2020
Jul 29, 2020
ભાગવત રહસ્ય -૩૪૬
યશોદાજી, લાલાને સ્તનપાન કરાવતાં લાલા જોડે એક થયાં છે.અદ્વૈત થયું છે.તે સર્વ સંસારિક કાર્યો ભૂલી ગયા છે,તે ભૂલી ગયા છે કે,થોડા સમય પહેલા ચૂલા પર દૂધ મુક્યું છે.કનૈયાએ અગ્નિ ને આજ્ઞા કરી છે કે- જરા વધુ પ્રજ્વલિત થા, જેથી દૂધમાં ઉભરો આવશે,દૂધ ચૂલામાં પડશે,નુકસાન થશે,અને જો મા મને છોડીને તે દૂધ ઉતારવા જશે,નુકસાન થતું રોકવા જશે તો –તેને સંસાર વહાલો,અને જો તેની (નુકસાનની) ચિંતા નહિ કરે તો હું વહાલો.મારી મા શું કરે છે તે મારે જોવું છે.
Subscribe to:
Comments (Atom)

