Sep 10, 2020

ભાગવત રહસ્ય -૩૮૭

આ બાજુ નારદજી ઇન્દ્ર પાસે પહોંચી ગયા છે,અને કહે છે કે-આ ગોવાળોએ તારી પૂજા કરવાને બદલે ગોવર્ધનનાથનું પૂજન કર્યું છે અને તારું અપમાન થયું છે.
આ વાત સાંભળી ઇન્દ્ર કોપાયમાન થયો છે,બાર મેઘોને હુકમ કર્યો છે કે-એક સામાન્ય ગોવાળના પુત્રે મારું પૂજન નહિ કરીને મારું અપમાન કર્યું છે,માટે જાઓ અને વ્રજ પર જઈને વરસો,ગોકુલને છિન્નભિન્ન કરી તેનો નાશ કરો.

Sep 9, 2020

ભાગવત રહસ્ય -૩૮૬

ગિરિરાજના શિખર પર પ્રગટ થયેલા ચતુર્ભૂજ નારાયણે હાથ લંબાવી અને એક એક છાબડી ઉઠાવીને સામગ્રી ખાવા લાગ્યા.ત્યારે ગોપબાળકો બોલી ઊઠયાં કે-લાલા,યે તો ખા રહો હય,યે તો ખા રહો હય. નંદબાબા અને વ્રજવાસીઓ બોલી ઉઠયા કે-લાલા ના ઠાકોરજી તો જીવતી જાગતી જ્યોત છે.શ્રીકૃષ્ણે કહ્યું-કે-સામગ્રી પુષ્કળ છે અને ઠાકોરજીને આરોગતાં વાર લાગશે.ચાલો આપણે ત્યાં સુધી કિર્તન કરતાં કરતાં,ગિરિરાજની પરિક્રમા કરીએ.

Sep 8, 2020

ભાગવત રહસ્ય -૩૮૫

ભગવાન ના ત્રણ સ્વરૂપો છે.
(૧) આધિભૌતિક સ્વરૂપ- આ જે ગોવર્ધનનાથ (ઠાકોરજી) રૂપે જે દેખાય છે તે-
(૨) અધ્યાત્મ સ્વરૂપ- સર્વમાં ઠાકોરજી (ભગવાન) રહેલા છે (આત્મારૂપે) તે 
(૩) આધિદૈવિક સ્વરૂપ-ખૂબ સેવા-સ્મરણ કરવામાં આવે ત્યારે ભગવાન આધિદૈવિક-રૂપે પ્રગટ થાય છે.