Nov 6, 2020

ભાગવત રહસ્ય -૪૩૮

શ્રીકૃષ્ણે ગુરૂ-સાંદીપનીની આજ્ઞાનું બરોબર પાલન કર્યું છે.(૧) જયારે મહાભારતના યુદ્ધમાં,અર્જુન બે હાથ જોડીને કહે છે કે હું તમારો શિષ્ય છું,તે વખતે,પ્રભુએ ગીતાના જ્ઞાનનો ઉપદેશ કર્યો છે.જે ગીતાના જ્ઞાનનો અભ્યાસ મહાપુરુષો આખી જિંદગી કરે છે,
તેવું દિવ્ય જ્ઞાન અર્જુનને આપ્યું,પણ ભગવાને કંઈ (ગુરુદક્ષિણા) માગ્યું નથી.અર્જુનની સેવા પણ લીધી નથી,પણ ઉપરથી સેવા કરી છે.યુદ્ધમાં થાકેલો અર્જુન સૂઈ જાય ત્યારે ઘોડાઓની પણ સેવા કરી છે,બદલામાં કશું લીધું નથી.

Nov 5, 2020

ભાગવત રહસ્ય -૪૩૭

મહાત્માઓ કહે છે કે-ગોકુળના શ્રીકૃષ્ણ અનેરા લાગે છે,ગોકુળનું સ્વ-રૂપ દિવ્ય છે,
ગોકુળમાં શ્રીકૃષ્ણે અલૌકિક પ્રેમ અને આનંદનું દાન કર્યું છે.
તત્વ દૃષ્ટિથી જોવામાં આવે તો,ગોકુળના,મથુરાના અને દ્વારકાના શ્રીકૃષ્ણ એક જ છે.
અગિયાર વર્ષના શ્રીકૃષ્ણ અને બળદેવને વસુદેવે જનોઈ આપી છે,
ગર્ગાચાર્યે ગાયત્રી મંત્રની દીક્ષા આપી છે,શ્રીકૃષ્ણ અને બલરામ “બ્રહ્મચારી”  થયા છે.