Nov 11, 2020

ભાગવત રહસ્ય -૪૪૩

ઉદ્ધવ નું જ્ઞાનનું અભિમાન દૂર કરવાની આ લીલા છે.પ્રભુને લાગે છે કે-ઉદ્ધવ અભણ ગોપીઓને નમવાનો નથી,પણ ત્યાં જઈ ને ગોપીઓના મંડળમાં તાડ ની જેમ ઉભો રહેશે.તે વંદન નહિ કરે તો તેનું કલ્યાણ નહિ થાય.જે નમે નહિ તે પ્રભુને ગમે નહિ.એટલે,પ્રભુ ખુલ્લે ખુલ્લું કહે છે કે-ઉદ્ધવ ત્યાં જાય ત્યારે ગોપીઓ ને વંદન કરજે.ઉદ્દવ ને જવાની ઈચ્છા નહોતી પણ પ્રભુના આગ્રહથી જવા તૈયાર થયા છે.

Nov 10, 2020

ભાગવત રહસ્ય -૪૪૨

પ્રેમ-તત્વનું રહસ્ય હજુ ઉદ્ધવ જાણતા નથી,ઉદ્ધવને તે ભક્ત હૃદય સમજાતું નથી,
ઉદ્ધવ જાણતા નથી કે પ્રેમ સંદેશો પત્રથી નહિ પણ હૃદયથી જાય છે.
પત્રમાં લખાય છે તે બધું સાચું નથી હોતું.પત્રમાં તો ઘણા લખે છે કે “હર ઘડી યાદ કરનાર” 
પણ હરઘડી કયો કાકો યાદ કરે છે ?વ્યવહાર સાચો નહિ તો પત્રમાં તો શું સાચું હોય?
અહીં તો ગોપી શ્રીકૃષ્ણ છે ને શ્રીકૃષ્ણ એ ગોપી છે.ગોપી-અને કૃષ્ણ એક જ છે,તે ઉદ્ધવ જાણતા નથી. જ્ઞાનીઓને ભક્ત હૃદયની ક્યાંથી ખબર પડે ?

Nov 9, 2020

ભાગવત રહસ્ય -૪૪૧

ઉદ્ધવ,મને મારી પ્યારી ગાયો યાદ આવે છે,મને મારા ગ્વાલ-મિત્રો યાદ આવે છે.અમે ગાયો ચરાવવા જતા તે રસ્તે ગ્વાલ-મિત્રો અમારી પ્રતીક્ષા કરતા હતા ને પોતાને ઘેરથી જે કંઈ લઇને આવે તે સહુ પ્રથમ પ્રેમથી,મને ખવડાવતા,અને તે પછી મારા માટે કુમળાં પર્ણોની (પાનોની) પથારી કરી ને મને સુવડાવતા.વળી મારી ગાયોને પણ સાચવે,આ મિત્રોને હું ભૂલી શકતો નથી.ઉદ્ધવ, જયારે કાલિયનાગને નાથવા હું યમુનાના ધરામાં કુદી પડેલો,ત્યારે મારી ગાયો રડતી હતી,છેવટે હું જયારે બહાર આવ્યો ત્યારે જ ગાયોને આનંદ થયો,મને તે મારી ગાયો યાદ આવે છે.મને ગોકુળની ગોપીઓ યાદ આવે છે.