Nov 18, 2020

ભાગવત રહસ્ય -૪૫૦

રાધાજી કહે છે –કે-હે,ઉદ્ધવ,તારા જ્ઞાનની કદર અહીં આ શુદ્ધ પ્રેમભૂમિ વ્રજમાં થશે નહિ.પ્રેમ-રાજ્યમાં એક માત્ર પ્રિયત્તમનું જ સ્થાન હોય.જ્ઞાન ને યોગની ચર્ચાને અહીં વ્રજ માં સ્થાન નથી.અમારું જ્ઞાન-એ કૃષ્ણ,યોગ પણ કૃષ્ણ,ધ્યાન પણ કૃષ્ણ.અમારા એક એક શ્વાસ પણ કૃષ્ણમય હોવાથી,તારા જ્ઞાન ને અમે ક્યાં રાખીશું ? મારા વ્યાપક ભગવાનને તું મથુરામાં રાખે છે તે બની શકે જ નહિ.તું છ શાસ્ત્રો ભણ્યો,પણ તને કાંઇ આવડયું નહિ,તું કોરો ને કોરો જ રહ્યો,તારું જ્ઞાન મને બરાબર લાગતું નથી,છ શાસ્ત્રો ભણ્યો પણ તેનું રહસ્ય તું સમજ્યો નથી.

Nov 17, 2020

Shrimad-Bhagvat-Gujarati-As It Is-Skandh-10-Adhyaya-61-શ્રીમદ ભાગવત-મૂળ રૂપે-સ્કંધ-૧૦-અધ્યાય-61


ભાગવત રહસ્ય -૪૪૯

ઉદ્ધવ વિચારે છે કે-આ ગોપીઓને તો સર્વમાં શ્રીકૃષ્ણના દર્શન થાય છે,હું વ્યાપક બ્રહ્મનું રટણ-ચિંતન કરતો હતો,પરંતુ મને વ્યાપક બ્રહ્મનો અનુભવ થયો નથી,ગોપીઓને વ્યાપક-બ્રહ્મનો અનુભવ છે.ભલે તે તત્વજ્ઞાન જાણતી ના હોય.ઉદ્ધવને લાગ્યું કે તેનું વેદાંતનું જ્ઞાન માત્ર ગોખેલું જ છે.શુષ્ક જ છે.