Nov 27, 2020

ભાગવત રહસ્ય -૪૫૯

પત્રમાં શ્રીકૃષ્ણ ને બે,સુંદર સંબોધનો કર્યા છે. અચ્યુત અને ભુવન-સુંદર.
જેને કામનો સ્પર્શ થતો નથી તે અચ્યુત.અને જે નિષ્કામ છે તે જ સુંદર છે.
કારણકે એકવાર કામનો સ્પર્શ થયા પછી,સૌન્દર્યનો વિનાશ થાય છે.શ્રીકૃષ્ણ ભુવન-સુંદર છે.
જ્ઞાની પુરુષો મનને સમજાવે છે કે આ સંસાર સુંદર નથી 
પણ સંસારને બનાવનાર-સર્જનહાર સુંદર છે.

Nov 26, 2020

Shrimad-Bhagvat-Gujarati-As It Is-Skandh-10-Adhyaya-70-શ્રીમદ ભાગવત-મૂળ રૂપે-સ્કંધ-૧૦-અધ્યાય-70


ભાગવત રહસ્ય -૪૫૮

શુકદેવજી પરમહંસ છે.પરમહંસ તેને કહે છે કે જે પરમાત્મા સાથે પરણે છે.(જેનું ઈશ્વર સાથે મિલન થયું છે) શુકદેવજીનું લગ્ન (મિલન) પરમાત્મા સાથે થયું છે.અહીં ભાષા લગ્ન ની છે.પણ તાત્પર્ય એ છે કે-જીવને ઈશ્વર સાથે લગ્ન કરવાનું છે.(જીવ-ઈશ્વરનું મિલન)
રુક્મિણી એ કૃષ્ણ પરના પત્રમાં લખ્યું છે-કે-મારે કામી પુરુષ સાથે પરણવું નથી.કામી રાજાઓ તો શિયાળવાં જેવાં છે.તેમનું તો નામ લેવું પણ મને ગમતું નથી.તેમની સામે જોવાની પણ ઈચ્છા થતી નથી.મારે કોઈ રાજાની રાણી થવું નથી.તમે નિષ્કામ છો,હું નિર્વિકાર છું.મારે તમારી સાથે પરણવું છે.