Dec 16, 2020

ભાગવત રહસ્ય -૪૭૭

અગિયારમા સ્કંધમાં આગળ આવી ગયેલા એકથી દશ સ્કંધનો ઉપસંહાર છે.અગિયારમા સ્કંધમાં વર્ણવેલું જ્ઞાન,આગળના અધ્યાયો માં આવી ગયેલ કપિલગીતા,પુરંજન આખ્યાન,ભવાટવી નું વર્ણન વગેરેમાં વર્ણવેલ જ્ઞાનમાં આવી જાય છે.આ અગિયારમા સ્કંધમાં ઉપસંહાર રૂપે આગળનું બધું જ્ઞાન ફરીથી કહેવામાં આવ્યું છે.આમ અગિયારમો સ્કંધ એ ભગવાનનું મુખ છે,કે જેમાં જ્ઞાન ભરેલું છે.

Dec 15, 2020

ભાગવત રહસ્ય -૪૭૬

દશમ સ્કંધ ના અંતમાં વર્ણવ્યું છે –સુભદ્રાહરણ.ભદ્ર એટલે કલ્યાણ.કલ્યાણ કરનારી અદ્વૈત બ્રહ્મવિદ્યા –તે જ સુભદ્રા. સુભદ્રા (બ્રહ્મવિદ્યા) ક્યારે મળે? અર્જુનને ચાર મહિના તપશ્ચર્યા કરાવીને શ્રીકૃષ્ણ તેને સુભદ્રા આપે છે.અર્જુન ત્રિદંડી સંન્યાસ લે છે.(અઢાર કલાક રોજ જપ કરવાનો.) સર્વ કામનાઓનો ત્યાગ કરે છે પછી તેને સુભદ્રા (બ્રહ્મ-વિદ્યા) મળે છે.

Dec 14, 2020

ભાગવત રહસ્ય -૪૭૫

તે પછી એક વખત સૂર્યગ્રહણનો સમય આવ્યો છે.કુરુક્ષેત્રમાં વ્રજવાસીઓ,યાદવો,
વસુદેવ,દેવકી સર્વ એક સાથે એકઠાં થયા છે.સર્વ સાથે શ્રીકૃષ્ણનું એક સાથે મિલન થયું છે. પરમાનંદ થયો છે.ગોપીઓનો પ્રભુ પ્રત્યેનો પ્રેમ નિહાળી ને પ્રભુની પત્નીઓ પોતાની જાતને ધિક્કારવા લાગી.“અમને આ ગોપીઓ જેવો પ્રેમ ક્યારે પ્રાપ્ત થશે?” ભગવાનની રાણીઓ એ રાધાજીની પ્રશંસા સાંભળી હતી,તેઓ વિચારતી કે રાધાજીમાં એવી શી વિશેષતા છે ?