ચારેય આશ્રમોના ધર્મો સમજાવ્યા.ઉદ્ધવજી
પ્રશ્નો પૂછે છે અને શ્રીકૃષ્ણ જવાબ આપે છે.
શમ
એટલે શું
? બુદ્ધિ ને પરમાત્મામાં સ્થાપવી તે શમ છે.
દમ
એટલે શું?
ઇન્દ્રિયોને વશ કરવી તે દમ છે.
દાન
કોને કહેવાય ?
કોઈ પણ પ્રાણીનો દ્રોહ ના કરવો તે શ્રેષ્ઠ દાન છે.
આ
જગતમાં જે કાંઇ દેખાય છે તે પરમાત્માના આધારે છે,તેવો ભાવ રાખી કોઈની સાથે દ્રોહ
ના કરવો.જગતના
કોઈ જીવ ને હલકો ગણવો નહિ કે તેની પ્રત્યે કુભાવ રાખવો નહિ.પ્રત્યેકને સદભાવ
અને સમભાવથી જોવા તે મોટામાં મોટું દાન છે.


