Jan 23, 2021

ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૨૨

જેમ કમળનું પાન,રાત-દિવસ પાણીમાં રહે છે,પણ પાણી થી ભીંજાતું નથી.તે જ રીતે સંસારમાં રહીને પણ સંસારથી અલિપ્ત રહેતો મનુષ્ય,બીજા મનુષ્યોના જેવો જ ભાસે છે.
ભલે બહારથી તે લોકાચાર પ્રમાણે વર્તે - પણ તેનું અંતર નિશ્ચળ અને પરમાત્મ-પરાયણ હોય છે.જેમ,જો પાણીની અંદર સૂર્યનું પ્રતિબિંબ પડતું હોય તો –પાણીના સંગથી સૂર્ય પાણીમાં હોય તેમ લાગે છે.પણ સાચી રીતે સૂર્ય પાણી  નથી.તેમ,ઉપરથી જોતાં તે મનુષ્ય સાધારણ લાગે છે-પરંતુ તેની “આત્મસ્થિતિ” ઓળખી શકાતી નથી.

Jan 22, 2021

Shrimad-Bhagvat-Gujarati-As It Is-Skandh-11-Adhyaya-15-શ્રીમદ ભાગવત-મૂળ રૂપે-સ્કંધ-11-અધ્યાય-15


ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૨૧

જ્ઞાનીઓ કહે છે કે-બ્રહ્મ સત્ય ,જગત મિથ્યા.
અને જગત છોડીને-કે જગતનાં કર્મો છોડીને તે  કેવળ બ્રહ્મની પાછળ પડી જાય છે.
આ જ્ઞાનીઓએ   ઇચ્છાઓ-વાસનાઓનો ત્યાગ (કે ક્ષય) કર્યો હોય છે. અને 
આત્મ-સંતોષી થઇ જાય છે. એટલે જગતની ખટપટ આપોઆપ બંધ થઇ જાય છે.