Jan 25, 2021

ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૨૩

પ્રાણીમાત્ર ઉત્પત્તિ અને પોષણ અન્નમાંથી થાય છે,અન્નની ઉત્પત્તિ અને પોષણ વરસાદથી થાય છે.વરસાદની ઉત્પત્તિ યજ્ઞથી થાય છે, યજ્ઞની ઉત્પત્તિ કર્મમાંથી થાય છે.કર્મની ઉત્પત્તિ વેદમાંથી (વેદ રૂપી બ્રહ્મ માંથી) થાય છે.અને વેદની ઉત્પત્તિ પરમાત્મા માંથી થાય છે.એટલે કે વેદોમાં 
જે સ્વ-ધર્મ રૂપી “કર્મ” બતાવ્યું છે, તે “કર્મ” માં પરમાત્માનો વાસ છે.(૧૪-૧૫) 
ઉપર બતાવ્યું –તે પ્રમાણે જગતનું (સૃષ્ટિનું) એક “ચક્ર” ચાલ્યે જાય છે.

Jan 23, 2021

Shrimad-Bhagvat-Gujarati-As It Is-Skandh-11-Adhyaya-16-શ્રીમદ ભાગવત-મૂળ રૂપે-સ્કંધ-11-અધ્યાય-16


ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૨૨

જેમ કમળનું પાન,રાત-દિવસ પાણીમાં રહે છે,પણ પાણી થી ભીંજાતું નથી.તે જ રીતે સંસારમાં રહીને પણ સંસારથી અલિપ્ત રહેતો મનુષ્ય,બીજા મનુષ્યોના જેવો જ ભાસે છે.
ભલે બહારથી તે લોકાચાર પ્રમાણે વર્તે - પણ તેનું અંતર નિશ્ચળ અને પરમાત્મ-પરાયણ હોય છે.જેમ,જો પાણીની અંદર સૂર્યનું પ્રતિબિંબ પડતું હોય તો –પાણીના સંગથી સૂર્ય પાણીમાં હોય તેમ લાગે છે.પણ સાચી રીતે સૂર્ય પાણી  નથી.તેમ,ઉપરથી જોતાં તે મનુષ્ય સાધારણ લાગે છે-પરંતુ તેની “આત્મસ્થિતિ” ઓળખી શકાતી નથી.