Jan 28, 2021

Shrimad-Bhagvat-Gujarati-As It Is-Skandh-11-Adhyaya-19-શ્રીમદ ભાગવત-મૂળ રૂપે-સ્કંધ-11-અધ્યાય-19


ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૨૬

કોઈ પણ પ્રકારના કર્મો હોય-પણ તે બધાં જ કર્મો,પ્રકૃતિના ગુણોને આધારે થાય છે.
(પ્રકૃતિના ગુણો=સાત્વિક,રાજસિક,તામસિક)
(૧)-અજ્ઞાની- મૂર્ખ-દેહાભિમાની મનુષ્યો,આ પ્રકૃતિ ને આધીન થઇ અને વર્તે છે (કર્મો કરે છે)-અને પ્રકૃતિના ગુણોના ફંદામાં ફસાઈ જાય છે.ખરેખર તો ઇન્દ્રિયો જ–આ પ્રકૃતિના ગુણોને આધીન થઈ-વર્તતી હોય છે-તેમ છતાં –એ અજ્ઞાની મનુષ્ય અહંકારથી એમ જ માને છે-કે-“સર્વ કર્મો હું જ કરું છું” -અને બંધનમાં પડે છે.

Jan 27, 2021

ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૨૫

શ્રીકૃષ્ણ જનોઈના સંસ્કાર પછી,વિદ્યાભ્યાસ માટે સાંદીપનિ નામના બ્રાહ્મણને 
ત્યાં  રહ્યા હતા.વિદ્યાભ્યાસ પત્યા પછી, ગુરુદક્ષિણા માગી લેવાની ગુરુને પ્રાર્થના કરી 
ત્યારે –ગુરુએ કહ્યું કે-“પ્રભાસ ક્ષેત્રમાં ડૂબી ગયેલા મારા પુત્રને પાછો લાવી આપો.” 
તે પછી,શ્રીકૃષ્ણ પ્રભાસ ગયા 
અને ત્યાં સમુદ્ર પાસે –ગુરુપુત્રની માગણી કરી.સમુદ્રે કહ્યું-કે મેં તેને ડુબાડ્યો નથી 
પણ મારા પાણીમાં શંખનું સ્વરૂપ લઇ રહેતા અસુરથી તે હણાયો છે.