Feb 11, 2021

ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૩૮-અધ્યાય-૫- કર્મ સંન્યાસયોગ

અધ્યાય-૫- કર્મ સંન્યાસયોગ
સ્વજનોના “મોહ” થી “શોક” માં પડેલા અર્જુન ને શ્રીકૃષ્ણે –
(૧) જ્ઞાનયોગ (૨) કર્મયોગ (૩) જ્ઞાન-કર્મ સંન્યાસ યોગની વાત કહી અને પછી તે મનમાં એવું સમજ્યા-કે- હવે તો અર્જુન ને બધી સમજ પડી જ ગઈ હશે.એટલે ગયા અધ્યાયમાં છેવટે તે અર્જુનને કહે છે-ચલ, ભાઈ,હવે ઉભો થા અને યુદ્ધ (કર્મ) કર.

Feb 10, 2021

Shrimad-Bhagvat-Gujarati-As It Is-Skandh-9-Adhyaya-14-શ્રીમદ ભાગવત-મૂળ રૂપે-સ્કંધ-9-અધ્યાય-14


ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૩૭

જયારે આ આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય છે-અંતરમાં રહેલા પરબ્રહ્મનો (આત્માનો) સાક્ષાત્કાર થાય છે-ત્યારે-આપોઆપ-જ-
--સર્વ કર્મની ઈચ્છા શમી જાય છે.
--સર્વ તર્કોનો લોપ  (નાશ) થઇ જાય છે.
--ઇન્દ્રિયો  (મુખ-વગેરે) વિષય (સ્વાદ-વગેરે)ને ભૂલી જાય છે.
--મનનું મનપણું બાજુ પર જતું રહે છે.
--શબ્દોની દોડ અટકી  જાય છે-વિચારોની ઉત્કંઠા પૂરી થાય છે.