Mar 19, 2021

Shrimad-Bhagvat-Gujarati-As It Is-Skandh-8-Adhyaya-14-શ્રીમદ ભાગવત-મૂળ રૂપે-સ્કંધ-8-અધ્યાય-14


ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૬૯

પરમાત્મા (શ્રીકૃષ્ણ-બ્રહ્મ-ઈશ્વર)ની મુખ્ય-મુખ્ય વિભૂતિઓ કઈ કઈ છે ? 
અથવા તો –પરમાત્મા ક્યાં ક્યાં વિરાજેલા છે ?
તો શ્રીકૃષ્ણ (પરમાત્મા-બ્રહ્મ) કહે છે-કે-
---પ્રત્યેક જીવમાં (પ્રાણીમાં) જે -આત્મા -છે –તે હું (પરમાત્મા) છું. અને
   -તે સર્વ જીવો (પ્રાણીઓ) નો  આદિ-મધ્ય અને અંત પણ હું છું..(૨૦)

Mar 18, 2021

ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૬૮

જે કંઈ દૃશ્ય સંસાર (આંખથી દેખાય છે–તે સંસાર) છે-તે ઈશ્વરની માયા છે,
અને માત્ર ઈશ્વર (બ્રહ્મ) જ પરિપૂર્ણ છે-આ –જાણવું તે “તત્વ” છે.
જે મનુષ્ય ઈશ્વરની –આ ઐશ્વર્ય-રૂપ-“વિભૂતિ” ને-જાણે છે(એટલે-કે-ઈશ્વરનો વિસ્તાર,ઈશ્વરની માયા(યોગ શક્તિ) થી થાય છે-એ તત્વને જાણે છે) તે મનુષ્ય-આ નિશ્ચળ યોગ વડે –ઈશ્વરના જ્ઞાનને જાણેલો છે-અને તે પોતે ઈશ્વરમય જ બને છે..(૭)