Apr 16, 2021

Shrimad-Bhagvat-Gujarati-As It Is-Skandh-1-Adhyaya-13-શ્રીમદ ભાગવત-મૂળ રૂપે-સ્કંધ-1-અધ્યાય-13


ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૯૨

ત્યાર પછી-જે પદ (બ્રહ્મ)ને પ્રાપ્ત થાય પછી,તે મહાત્માઓ ફરીથી પાછા આવતા નથી,તે પદ (બ્રહ્મ) ને શોધી કાઢવું. (કેવી રીતે શોધવું?તો કહે છે-કે)
જે-બ્રહ્મમાંથી અનાદિ પ્રવૃત્તિ ચાલી આવી છે
-તે જ આદ્ય પુરુષ (પરમાત્માને)-“ હું શરણે છું” –
એવી ભાવના મનમાં રાખી-તે (બ્રહ્મ) પદની (ચરમ સ્થાનની) શોધ કરવી (૪)

Apr 15, 2021

ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૯૧

આ વૃક્ષને -અહીં સંસાર-રૂપી-અશ્વત્થ-નામ આપેલું છે.
સંસ્કૃત શબ્દ- અશ્વત્થ-નો અર્થ થાય છે-“જે એક ક્ષણ માત્ર પણ એક સમાન નથી”
જે પ્રમાણે વ્યાકુળ મનુષ્યનું મન સ્થિર રહેતું નથી હોતું અને ક્ષણે ક્ષણે નવા વિચારો કરે છે-
તેવી જ આ સંસારરૂપી વૃક્ષની સ્થિતિ છે.
પ્રત્યેક ક્ષણે –તે સંસાર-રૂપી વૃક્ષનો નાશ થતો હોવાથી,તેને- અશ્વત્થ- કહેવામાં આવે છે.