Apr 26, 2021

ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૯૮

શ્રીકૃષ્ણ કહે છે-દૈવી સંપત્તિ વડે સંસારમાંથી છૂટકો થાય છે,(મુક્તિ મળે છે) 
–જયારે આસુરી સંપત્તિથી,સંસાર નું બંધન પ્રાપ્ત થાય છે.
હે અર્જુન તુ દૈવી સંપત્તિ  જન્મેલો છે માટે તુ શોક ન કર.(૫)
આ જગતમાં દૈવ અને આસુર –એવા બે પ્રકારના મનુષ્યોનો વર્ગ છે.
દૈવી સંપત્તિ ધરાવતા-દૈવ વર્ગના લક્ષણો નું વર્ણન આગળ આવી ગયું,
એટલે હવે આસુર વર્ગ ના (આસુરી સંપત્તિના) લક્ષણો નું વર્ણન કર્યું છે. (૬)

Apr 23, 2021

ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૯૭-અધ્યાય-૧૬

અધ્યાય-૧૬-દૈવાસુર સંપદ્વિભાગ યોગ-૧
આ અધ્યાયમાં પ્રાણીઓની (જીવોની) દૈવી અને આસુરી સંપત્તિનું વર્ણન કરવા માં આવ્યું છે.સહુ પ્રથમ દૈવી સંપત્તિ વિષેનું વર્ણન છે.દૈવી સંપત્તિ કે જે,
મુમુક્ષુને (મોક્ષ પામવા ઈચ્છનારને) સાથીરૂપ થાય છે.એકબીજાને સહાય કરે 
એવા પુષ્કળ પદાર્થોના સંચિત  (ભેગા) થયેલા સમુદાય ને સંપત્તિ કહે છે.એક સ્થળે એકત્રિત થયેલી અને સર્વને સુખ આપનારી –સંપત્તિને દૈવી-સંપત્તિ કહે છે.

Apr 22, 2021

ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૯૬

ક્ષર એટલે કે જે પ્રતિક્ષણે નાશ પામે છે તે-
અગાઉ ના અધ્યાયમાં ક્ષેત્ર (શરીર)-અને પ્રકૃતિ (માયા) નું જે-વર્ણન કર્યું- અને
આ અધ્યાયમાં –વૃક્ષની આકૃતિથી જેનું વર્ણન કર્યું –તે- જેને જગત પણ કહે છે.
તે સર્વે નાશવંત (ક્ષર) છે.