May 20, 2021

ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૧૧૨

શ્રીકૃષ્ણ કહે છે-કે-તારા સર્વ કર્મો,મન પૂર્વક મને અર્પણ કરી,મારામાં તત્પર (પરાયણ) થઇ,
મારામાં બુદ્ધિને પરોવી,સતત મારામાં ચિત્ત વાળો થા. (૫૭)
આવી રીતે મારામાં ચિત્ત ને સ્થિર કરીને,મારી કૃપાથી તુ બધી મુશ્કેલીઓમાંથી તરી જઈશ. પરંતુ જો-“અહંકાર” (અભિમાન) ને લીધે તુ મારું કહ્યું સાંભળીશ નહિ તો નાશ પામીશ. (૫૮)

May 19, 2021

Shrimad-Bhagvat-Gujarati-As It Is-Skandh-3-Adhyaya-4-શ્રીમદ ભાગવત-મૂળ રૂપે-સ્કંધ-3-Adhyaya-4


ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૧૧૧

અત્યંત શુદ્ધ બુદ્ધિથી, દૃઢતાપૂર્વક  પોતાને (પોતાની જાતને) નિયમમાં રાખીને,
વિષયો (શબ્દાદિક-વગેરે) નો અને રાગ-દ્વેષ (દ્વંદો)નો ત્યાગ કરીને, (૫૧)
એકાંત સેવનાર,અલ્પાહાર કરનાર,વાચા,કાયા તથા મનને અંકુશમાં રાખનાર,
ધ્યાનયોગમાં પરાયણ,એવો તે –નિત્ય વૈરાગ્યનો આશરો લઈને, (૫૨)
અહંકાર,બળ,દર્પ (ઉન્મત્તતા),કામ,ક્રોધ,પરિગ્રહને છોડીને-
મમતા વગરનો અને શાંત –એવો તે –બ્રહ્મભાવ પામવા યોગ્ય બને છે (૫૩)