Jul 28, 2021

Gujarati-Ramayan-Rahasya-27-ગુજરાતી-રામાયણ-રહસ્ય-27

જપ વિના જીવન સુધરતું નથી,જીભ સુધરતી નથી,મન સુધરતું નથી.જપ વિના વાસનાઓ ટળતી નથી,જપ વિના સંયમની સાધના થતી નથી,જપ વિના પાપ છૂટતું નથી,જપ વિના બળની પ્રાપ્તિ થતી નથી,સુખશાંતિની પ્રાપ્તિ થતી નથી,”આપ”(ખુદ)ની પ્રાપ્તિ થતી નથી.
આજે આપણે ‘આપ’ ને (ખુદને) ખોઈ બેઠા છીએ.ને વાસના અને કામનાના કેદી બની તે જેમ નચાવે તેમ નાચ્યા કરીએ છીએ.સતત જપ કરવાથી જ ‘આપ’ (ખુદ) ની પ્રાપ્તિ થાય છે અને મનુષ્ય,મનુષ્ય બને છે.નહિતર જે મનનો દાસ છે તે મનુષ્ય દાનવ જેવો છે.મનનો ધણી થાય ત્યારે મનુષ્ય મનુષ્ય બને છે.

Jul 27, 2021

Shrimad-Bhagvat-Gujarati-As It Is-Skandh-4-Adhyaya-26-શ્રીમદ ભાગવત-મૂળ રૂપે-સ્કંધ-4-અધ્યાય-26


Gujarati-Ramayan-Rahasya-26-ગુજરાતી-રામાયણ-રહસ્ય-26

મહર્ષિ વાલ્મીકિએ જગતને જપ કેમ કરવો ? અને તપ કેમ કરવું ?તેનું દૃષ્ટાંત દેખાડ્યું છે.
સંત-મહાત્માઓ કહે છે કે-જપ અને ધ્યાન સાથે થવાં જોઈએ.જપ કરવા બેસો ત્યારે જે દેવ કે દેવીનો જપ કરો તેની મૂર્તિ ધ્યાનમાંથી ખસે નહિ તે જોવાનું.
જીભથી હરિનું નામ લેવું,મનથી તે હરિ-નામનું સ્મરણ અને ધ્યાન કરવું,આંખથી હરિના દર્શન કરવાં અને કાનથી તે હરિનામનું શ્રવણ કરવું.આ પ્રમાણે જપ કરવાના.