Jul 29, 2021

Gujarati-Ramayan-Rahasya-28-ગુજરાતી-રામાયણ-રહસ્ય-28

ભગવાન કહે છે કે-હું સદાકાળ ભક્તને આધીન છું.ભક્તની રક્ષા કાજે,રામ તરીકે ધનુષ્યબાણ લઈને ખડો છું,શ્રીકૃષ્ણ તરીકે સુદર્શન ચક્ર લઈને ખડો છું,અને શંકર તરીકે ત્રિશુળ લઈને ઉભો છું,મારા ભક્તને ભય નથી,મારા ભક્તનો નાશ નથી.

સંસાર એ તો ખોટનો ધંધો છે.અનેક જન્મો ગયા પણ ભવની ચક્કીમાંથી છૂટાયું નથી.એકવાર ખોટનો ધંધો કર્યો,બેવાર કર્યો,દશવાર કર્યો-તો યે શાન આવતી નથી.જે ડાહ્યો મનુષ્ય હોય તે ખોટનો ધંધો ના કરે.પણ રામ નામનો વેપાર કરે,કે એ ધંધો એવો છે કે તેમાં નફો જ નફો છે.જેની પ્રાપ્તિથી બધું જ પ્રાપ્ત થઇ જાય તેવો નફો છે.પછી કશું મેળવવાનું બાકી રહેતું નથી.એ ધંધાનો આનંદ એ ધંધાનું માધુર્ય એવું છે કે-એ આનંદનો કોઈ જોટો નથી અને તે માધુર્યનો કોઈ અંત નથી.

Jul 28, 2021

Shrimad-Bhagvat-Gujarati-As It Is-Skandh-4-Adhyaya-27-શ્રીમદ ભાગવત-મૂળ રૂપે-સ્કંધ-4-અધ્યાય-27


Gujarati-Ramayan-Rahasya-27-ગુજરાતી-રામાયણ-રહસ્ય-27

જપ વિના જીવન સુધરતું નથી,જીભ સુધરતી નથી,મન સુધરતું નથી.જપ વિના વાસનાઓ ટળતી નથી,જપ વિના સંયમની સાધના થતી નથી,જપ વિના પાપ છૂટતું નથી,જપ વિના બળની પ્રાપ્તિ થતી નથી,સુખશાંતિની પ્રાપ્તિ થતી નથી,”આપ”(ખુદ)ની પ્રાપ્તિ થતી નથી.
આજે આપણે ‘આપ’ ને (ખુદને) ખોઈ બેઠા છીએ.ને વાસના અને કામનાના કેદી બની તે જેમ નચાવે તેમ નાચ્યા કરીએ છીએ.સતત જપ કરવાથી જ ‘આપ’ (ખુદ) ની પ્રાપ્તિ થાય છે અને મનુષ્ય,મનુષ્ય બને છે.નહિતર જે મનનો દાસ છે તે મનુષ્ય દાનવ જેવો છે.મનનો ધણી થાય ત્યારે મનુષ્ય મનુષ્ય બને છે.