Jul 31, 2021

Gujarati-Ramayan-Rahasya-30-ગુજરાતી-રામાયણ-રહસ્ય-30

શ્રી રામાયણ એ રામજીનું નામ-સ્વ-રૂપ હોઈ,જીવ માત્રનો તે ઉદ્ધાર કરે છે,રામજીએ તો અમુક જીવોનો ઉદ્ધાર કરેલો પણ રામાયણે તો ગણ્યા ગણાય નહિ એટલા જીવોનું કલ્યાણ કર્યું છે,કરે છે અને કરશે.તેથી જ રામાયણ એ શ્રેષ્ઠ છે એમ કહેવાય છે.
રામાયણના સાત કાંડ  તુલસીદાસજી એ સાત સોપાન કહ્યા છે.સોપાન એટલે પગથિયું.માનવ જીવનનાં આ સાત પગથિયાં છે.
એક પછી એક પગથિયું ચડાવી  જીવ  તે પ્રભુ ચરણ  લઇ જાય છે.

Jul 30, 2021

Shrimad-Bhagvat-Gujarati-As It Is-Skandh-4-Adhyaya-28-શ્રીમદ ભાગવત-મૂળ રૂપે-સ્કંધ-4-અધ્યાય-28


Gujarati-Ramayan-Rahasya-29-ગુજરાતી-રામાયણ-રહસ્ય-29

શ્રીરામચરિત્રની કથા સંભળાવી, પુરી કરીને નારદજી તેમના પંથે ગયા,
તે પછી મહર્ષિ વાલ્મીકિ મધ્યાહ્ન કર્મ કરવા માટે,તમસા નદીને કિનારે ગયા,ત્યાં તેમની નજર એક ક્રૌંચ પક્ષીના જોડા પર પડી,અને એ જ વખતે પારધીના તીરથી નર પંખીની હત્યા થતી જોઈ,ક્રૌંચ તરફડીને નીચે પડ્યો, ક્રૌંચી કરુણ સ્વરે વિલાપ કરવા લાગી,એની આવી દયાજનક હાલત જોઈ,મહર્ષિના ચિત્તને અત્યંત દુઃખ થયું,અને તેમના મુખથી બોલાઈ ગયું,
મા નિષાદ,પ્રતિષ્ઠા ત્વમગમઃશાશ્વતી સમાઃ યત્ક્રૌંચમિથુનાદેકમવધી: કામ મોહિતમ.
(હે,નિષાદ (પારધી) તેં કામશક્ત ક્રૌંચને મારીને તેમની જોડીને તોડી ને મહાપાપ કર્યું છે,માટે
તુ પણ લાંબો કાળ પૃથ્વી પર નહિ રહે,(તુ લાંબુ જીવશે નહિ)