Aug 6, 2021

Shrimad-Bhagvat-Gujarati-As It Is-Skandh-5-Adhyaya-1-શ્રીમદ ભાગવત-મૂળ રૂપે-સ્કંધ-5-અધ્યાય-1


Gujarati-Ramayan-Rahasya-35-ગુજરાતી-રામાયણ-રહસ્ય-35

ક્રોધ એ કામનો નાનો ભાઈ છે,અને આ નાનોભાઈ મોટાભાઈનાં ખાસડાં લઇ જાય એવો છે.અતિ સાવધ રહેનાર કદાચ કામને મારી શકે છે પણ ક્રોધને મારવો અતિ કઠણ છે.કામનું મૂળ “સંકલ્પ” છે.જ્ઞાનીઓ અને યોગીઓ કોઈના શરીરનું ચિંતન કરતા નથી એટલે તેમને કામ ત્રાસ આપી શકતો નથી,પણ તેમનું ઘણી વખત ક્રોધથી પતન થાય છે.

Aug 5, 2021

Gujarati-Ramayan-Rahasya-34-ગુજરાતી-રામાયણ-રહસ્ય-34

ડોસાને વૃદ્ધાવસ્થામાં ખાવાનું પચતું નથી,છતાં તેને ઘડી ઘડી ખાવાનું મન થયા કરે છે.લૂલી બહુ પજવે છે.ભગવાનનું નામ મુખે આવતું નથી.અને પાછો કહે છે ”હવે ભગવાન ઉપાડી લે તો સારું” પણ એમ ને એમ ભગવાન તેને ઉપાડવા ક્યાંથી આવે ? જ્યાં સુધી બાજી આપણા હાથમાં છે ત્યાં સુધી પ્રભુને રાજી કરવામાં આવે તો બેડો પાર છે.મરણપથારીએ પડ્યા પછી જેના માટે પૈસાનું પાણી કર્યું હશે તે લોકો જ “ડોસો જલદી મરે તો સારું” એવી ઈચ્છા રાખે છે.પુત્ર-પુત્રી પણ મને કંઈ મળશે એ ઈચ્છાથી થોડી સેવા કરે છે.બધાં સ્વાર્થના સગાં આસપાસ ભેગાં થાય છે.