Aug 7, 2021

Gujarati-Ramayan-Rahasya-36-ગુજરાતી-રામાયણ-રહસ્ય-36

બીજી બાજુ અંદર શયન કરી રહેલા ભગવાને લક્ષ્મીજીને કહ્યું કે-બહાર સનત્કુમારો આવ્યા છે અને ઝગડો ચાલતો હોય તેવું લાગે છે,મારા દ્વારે આવીને ક્રોધ કરે છે એટલે તે અંદર આવવાને લાયક નથી.પણ તેમના પર અનુગ્રહ કરીને હું જ તેમને બહાર જઈને દર્શન આપીશ.
ભગવાન લક્ષ્મીજી સાથે બહાર પધારે છે પણ સનત્કુમારોને નજર આપતા નથી.જીવને કરેલાં પાપનો પસ્તાવો ના થાય ત્યાં સુધી ભગવાન નજર આપતા નથી.સનત્કુમારો વંદન કરે છે,પણ ભગવાન તેમના સામું પણ જોતા નથી.સનત્કુમારોને પોતાની ભૂલ સમજાય છે કે –ક્રોધ કર્યો તે ભૂલ કરી.પાર્ષદો તેમની ફરજ બજાવતા હતા તેમના પર ક્રોધ કરવાનું ઉચિત નહોતું.પણ ભગવાનના દર્શનની ઉત્કંઠામાં વિઘ્ન થયું અને ક્રોધ થઇ ગયો.

Aug 6, 2021

Shrimad-Bhagvat-Gujarati-As It Is-Skandh-5-Adhyaya-1-શ્રીમદ ભાગવત-મૂળ રૂપે-સ્કંધ-5-અધ્યાય-1


Gujarati-Ramayan-Rahasya-35-ગુજરાતી-રામાયણ-રહસ્ય-35

ક્રોધ એ કામનો નાનો ભાઈ છે,અને આ નાનોભાઈ મોટાભાઈનાં ખાસડાં લઇ જાય એવો છે.અતિ સાવધ રહેનાર કદાચ કામને મારી શકે છે પણ ક્રોધને મારવો અતિ કઠણ છે.કામનું મૂળ “સંકલ્પ” છે.જ્ઞાનીઓ અને યોગીઓ કોઈના શરીરનું ચિંતન કરતા નથી એટલે તેમને કામ ત્રાસ આપી શકતો નથી,પણ તેમનું ઘણી વખત ક્રોધથી પતન થાય છે.