Aug 20, 2021

Gujarati-Ramayan-Rahasya-49-ગુજરાતી-રામાયણ-રહસ્ય-49

તે જમાનામાં ગુરૂની વ્યાખ્યા જુદી હતી.ગુરૂ શિષ્યની પાસેથી કશાની અપેક્ષા રાખતો નહોતો.પણ પોતાનું સર્વસ્વ,પોતાની સર્વ વિદ્યા તે શિષ્યને અર્પણ કરતો.તેના કલ્યાણનો બોજો પોતાની માથે લઇ લેતો.ગુરૂ એક પથદર્શક હતો.આજે તો ઠેર ઠેર ગુરૂઓનો સુમાર નથી,આશ્રમોનો સુમાર નથી.લોકો ગુરૂને એક છટકબારી તરીકે મેળવે છે.પોતાને કંઈક જરૂર છે,સંતાન નથી,જિંદગીમાં દુઃખ છે,તો વળી કોઈની ભેંસ ને દુધ નથી આવતું –તો તેવા માટે ગુરૂની પાસે પહોંચી જાય છે.જો કોઈ ગુરૂ તે દુઃખમાંથી મુક્તિ અપાવે,તો ઠીક છે નહિતર બીજા ગુરૂની શોધ ચાલુ થઇ જાય છે.

Aug 19, 2021

Gujarati-Ramayan-Rahasya-48-ગુજરાતી-રામાયણ-રહસ્ય-48

આજે અત્યારના જમાનામાં નાનાં-મોટાંની કોઈ મર્યાદા રહી નથી,બાળકો મા-બાપને ગાંઠતા નથી.અને મા-બાપ બાળકોમાં સારા સંસ્કારો પડે એવું સ્નેહ-ભર્યું વર્તન કરતા નથી,માબાપોનું પોતાનું વર્તન અને જીવન જ એવું હોય છે કે-બાળકો પર ધર્મના અને સારા સંસ્કાર ક્યાંથી પડે? બાળક તો જેવું જુએ તેવું કરે,જેવું સાંભળે તેવું બોલે. બાળક જેવી રીતે માતૃભાષા શીખે છે,એવી જ રીતે માતા-પિતાના સંસ્કારો ગ્રહણ કરે છે.સંસ્કાર શીખાતા નથી પણ ગ્રહણ થાય છે.
ખબર ના પડે અને ચિત્તમાં જે સ્થાન મેળવે છે તે સંસ્કાર.