Aug 24, 2021

Gujarati-Ramayan-Rahasya-53-ગુજરાતી-રામાયણ-રહસ્ય-53

તે પછી રાજા દશરથે વિશ્વામિત્રને કહ્યું કે-હે,બ્રહ્મન,આપનાં અહીં પગલાં થવાથી હું કૃતાર્થ થયો છું,કહો આપની શી આજ્ઞા છે?હું નિશ્ચયપૂર્વક કહું છું કે આપનું કાર્ય હું કરીશ.જરાય વાર નહિ લગાડું.ત્યારે વિશ્વામિત્રે કહ્યું કે-હે રાજન મારી ઈચ્છા પુરી કરવાની તમે પ્રતિજ્ઞા કરી છે એટલે મને ખાતરી છે કે મારું કામ સિદ્ધ થશે.હે રાજા,મારીચ અને સુબાહુ નામના રાક્ષસો મારા યજ્ઞમાં આવી વિઘ્ન કરે છે.ક્રોધ કરી શાપ આપી એમનો હું નાશ કરી શકું તેમ છું,પણ તેમ કરવાની મારી ઈચ્છા નથી.તમારા પુત્ર શ્રીરામ સત્ય-પરાક્રમી અને શૂરવીર છે,તેમના સિવાય બીજો કોઈ આ રાક્ષસોને હણી શકે તેમ નથી,તેથી અત્યારે હું થોડા દિવસ માટે તમારા પાસે શ્રી રામની માગણી કરવા આવ્યો છું.
માટે હે રાજા,મને શ્રી રામ આપો.(દેહી મે રામમ).

Aug 23, 2021

Gujarati-Ramayan-Rahasya-52-ગુજરાતી-રામાયણ-રહસ્ય-52

વિશ્વામિત્રે ઘોર તપશ્ચર્યા આદરી છે,તેમને “બ્રહ્મર્ષિ” પદની કામના છે.
આ વખતે તેમને ચળાવવા ઇન્દ્રે રંભા નામની અપ્સરા ને મોકલી,પણ વિશ્વામિત્ર તેનામાં ફસાયા નહિ,પણ ક્રોધમાં આવી રંભાને શાપ આપી દીધો.
એટલે ફરીથી આ શાપમાં પાછું તેમનું તપ રોળાઈ ગયું.

વિશ્વામિત્રનો “વેર” અને “કામ” પર વિજય થયો પણ હજુ “ક્રોધ” પર વિજય મેળવાનો બાકી હતો.અને તેથી ક્રોધ પર વિજય મેળવવાનો આ વખતે તેમનો અડગ નિશ્ચય હતો.હાર કબૂલ કરવાનું તેમના સ્વભાવમાં નહોતું.અખંડ પુરુષાર્થની તે મૂર્તિ હતા. નાની સિદ્ધિથી તેમને સંતોષ નહોતો.આ વખતે વિશ્વામિત્રે અડગ નિશ્ચય કર્યો હતો કે –હવે કદાપિ ક્રોધ નહિ કરું,કોઈની સાથે વાત પણ નહિ કરું.

Aug 22, 2021

Gujarati-Ramayan-Rahasya-51-ગુજરાતી-રામાયણ-રહસ્ય-51

હિમાલયની તળેટીમાં વિશ્વામિત્રે એક ચિત્તે ભગવાન શંકરનું ધ્યાન કર્યું.શંકર પ્રસન્ન થયા ને વરદાન માગવા કહ્યું.વિશ્વામિત્રના મનમાં હજુ પણ વશિષ્ઠ પર “વેર” લેવાની ધૂન સવાર હતી.અને શસ્ત્રાસ્ત્રથી જ તેમને (વશિષ્ઠ ને) જીતી શકાય તેવો તેમને ખ્યાલ હતો.તેથી તેમણે માગ્યું કે-દેવો,દાનવો,યક્ષો,કિન્નરો,ઋષિઓ એ બધાયની પાસે જે કંઇ અસ્ત્ર-શસ્ત્ર છે તે તમામનું મને સંપૂર્ણ જ્ઞાન આપો. ત્યારે શંકરે કહ્યું-તથાસ્તુ.