Aug 25, 2021

Gujarati-Ramayan-Rahasya-54-ગુજરાતી-રામાયણ-રહસ્ય-54

શ્રીરામ એ પરબ્રહ્મ છે અને લક્ષ્મણજી એ શબ્દબ્રહ્મ છે.શબ્દબ્રહ્મ અને પરબ્રહ્મ સાથે રહે છે,શ્રીરામની સાથે હંમેશાં લક્ષ્મણજી હોય છે.શબ્દબ્રહ્મ વગર પરબ્રહ્મ પ્રગટ થાય નહિ.વ્યક્તિગત આધ્યાત્મિક કલ્યાણની બાબતમાં વશિષ્ઠજી શ્રીરામના ગુરૂ બન્યા હતા અને આજે સામાજિક કલ્યાણની બાબતે વિશ્વામિત્ર ગુરૂ બન્યા છે.શ્રીરામને તે સમાજ સમક્ષ લઇ જાય છે.અયોધ્યાથી ચાલતાં ચાલતાં છ કોશ દૂર રસ્તામાં ફરીથી સરયુ નદી આવે છે,ત્યાં વિશ્વામિત્રે બંને ભાઈઓને સરયુ ના જળમાંથી આચમન આપી અને તેમને “બલા-અને અતિબલા” નામની બે વિદ્યા આપી કહ્યું કે-આ વિદ્યાના પ્રતાપે તમને તરસ કે ભૂખ પીડશે નહિ,અને તમારી કીર્તિ દિગંતમાં ફેલાશે.

Aug 24, 2021

Shrimad-Bhagvat-Gujarati-As It Is-Skandh-5-Adhyaya-18-શ્રીમદ ભાગવત-મૂળ રૂપે-સ્કંધ-5-અધ્યાય-18


Gujarati-Ramayan-Rahasya-53-ગુજરાતી-રામાયણ-રહસ્ય-53

તે પછી રાજા દશરથે વિશ્વામિત્રને કહ્યું કે-હે,બ્રહ્મન,આપનાં અહીં પગલાં થવાથી હું કૃતાર્થ થયો છું,કહો આપની શી આજ્ઞા છે?હું નિશ્ચયપૂર્વક કહું છું કે આપનું કાર્ય હું કરીશ.જરાય વાર નહિ લગાડું.ત્યારે વિશ્વામિત્રે કહ્યું કે-હે રાજન મારી ઈચ્છા પુરી કરવાની તમે પ્રતિજ્ઞા કરી છે એટલે મને ખાતરી છે કે મારું કામ સિદ્ધ થશે.હે રાજા,મારીચ અને સુબાહુ નામના રાક્ષસો મારા યજ્ઞમાં આવી વિઘ્ન કરે છે.ક્રોધ કરી શાપ આપી એમનો હું નાશ કરી શકું તેમ છું,પણ તેમ કરવાની મારી ઈચ્છા નથી.તમારા પુત્ર શ્રીરામ સત્ય-પરાક્રમી અને શૂરવીર છે,તેમના સિવાય બીજો કોઈ આ રાક્ષસોને હણી શકે તેમ નથી,તેથી અત્યારે હું થોડા દિવસ માટે તમારા પાસે શ્રી રામની માગણી કરવા આવ્યો છું.
માટે હે રાજા,મને શ્રી રામ આપો.(દેહી મે રામમ).