જહનુ મુનિ યજ્ઞ કરતા હતા ત્યાં આવ્યો,ધોધમાર વહેતા પ્રવાહમાં
જહનુ મુનિનો આશ્રમ ડૂબી ગયો, ક્રોધે ભરાયેલા મુનિએ ગંગાના આખા પ્રવાહને
અંજલિમાં લઇ ગળે ઉતારી દીધો.વળી પાછા ભગીરથે તેમને પ્રાર્થના કરી
એટલે જહનુ મુનિએ પોતાના ડાબા કાનમાંથી ગંગાને બહાર કાઢયાં.
આથી ગંગાને જહનુની પુત્રી જાહ્નવી પણ કહે છે.ત્યાંથી પ્રવાહ આગળ ચાલ્યો અને
સગરરાજાના સાઠ હજાર પુત્રોની ભસ્મ પર ફરી વળ્યો.અને સગર-પુત્રોની આમ છેવટે સદગતિ થઇ.
એક સુપુત્ર સાત પેઢીઓને તારે છે તે કહ્યું છે –તે ખોટું કહ્યું નથી.

