Aug 31, 2021

Gujarati-Ramayan-Rahasya-59-ગુજરાતી-રામાયણ-રહસ્ય-59

ભગીરથ રાજા ગંગાના પ્રવાહને દોરતા આગળ ચાલ્યા.ગંગાજીનો વહેતો પ્રવાહ 
જહનુ મુનિ યજ્ઞ કરતા હતા ત્યાં આવ્યો,ધોધમાર વહેતા પ્રવાહમાં 
જહનુ મુનિનો આશ્રમ ડૂબી ગયો, ક્રોધે ભરાયેલા મુનિએ ગંગાના આખા પ્રવાહને 
અંજલિમાં લઇ ગળે ઉતારી દીધો.વળી પાછા ભગીરથે તેમને પ્રાર્થના કરી 
એટલે જહનુ મુનિએ પોતાના ડાબા કાનમાંથી ગંગાને બહાર કાઢયાં.
આથી ગંગાને જહનુની પુત્રી જાહ્નવી પણ કહે છે.ત્યાંથી પ્રવાહ આગળ ચાલ્યો અને 
સગરરાજાના સાઠ હજાર પુત્રોની ભસ્મ પર ફરી વળ્યો.અને સગર-પુત્રોની આમ છેવટે સદગતિ થઇ.
એક સુપુત્ર સાત પેઢીઓને તારે છે તે કહ્યું છે –તે ખોટું કહ્યું નથી.

Aug 29, 2021

Shrimad-Bhagvat-Gujarati-As It Is-Skandh-5-Adhyaya-20-શ્રીમદ ભાગવત-મૂળ રૂપે-સ્કંધ-5-અધ્યાય-20


Gujarati-Ramayan-Rahasya-58-ગુજરાતી-રામાયણ-રહસ્ય-58

વિશ્વામિત્રે કહ્યું કે –હે રામ,ગંગાવતરણની કથા એ તમારા સૂર્યવંશની કથા છે.તપના માહાત્મ્યની કથા છે.સૂર્યવંશમાં પૂર્વે સગર રાજા થઇ ગયા.તેમને બે રાણીઓ હતી.મોટી રાણીના દીકરાનું નામ હતું અસમંજસ.અને નાની રાણી ને સાઠ હજાર પુત્રો હતા.પાટવીકુંવર અસમંજસ ક્રૂર નીવડ્યો હતો,તેથી રાજાએ તેને દેશનિકાલ કરી દીધો હતો પણ અસમંજસનો પુત્ર અંશુમાન દાદાની જોડે રહેતો હતો.