Sep 1, 2021

Gujarati-Ramayan-Rahasya-60-ગુજરાતી-રામાયણ-રહસ્ય-60

અહલ્યાજી હાથ જોડી રામજીની સામે ઉભાં છે,આંખમાંથી અશ્રુધારા નીકળે છે 
અને સ્તુતિ કરે છે.'રાજીવ બિલોચન ભવભય મોચન,પાહિપાહિ સરન હિ આઈ'
હે,પ્રભુ,રાજીવલોચન,ભવભયમોચન,મારું રક્ષણ કરો,હું તમારે શરણે છું.
પછી અહલ્યાજી કહે છે કે-મુનિએ મને શાપ દીધો એ કેવું સારું કર્યું? એ શાપને લીધે હું તમારાં દર્શન કરવા ભાગ્યશાળી થઇ.જે શાપથી પ્રભુના દર્શન થાય એને શાપ નહિ પણ અનુગ્રહ થયો એમ સમજુ છું.

Aug 31, 2021

Gujarati-Ramayan-Rahasya-59-ગુજરાતી-રામાયણ-રહસ્ય-59

ભગીરથ રાજા ગંગાના પ્રવાહને દોરતા આગળ ચાલ્યા.ગંગાજીનો વહેતો પ્રવાહ 
જહનુ મુનિ યજ્ઞ કરતા હતા ત્યાં આવ્યો,ધોધમાર વહેતા પ્રવાહમાં 
જહનુ મુનિનો આશ્રમ ડૂબી ગયો, ક્રોધે ભરાયેલા મુનિએ ગંગાના આખા પ્રવાહને 
અંજલિમાં લઇ ગળે ઉતારી દીધો.વળી પાછા ભગીરથે તેમને પ્રાર્થના કરી 
એટલે જહનુ મુનિએ પોતાના ડાબા કાનમાંથી ગંગાને બહાર કાઢયાં.
આથી ગંગાને જહનુની પુત્રી જાહ્નવી પણ કહે છે.ત્યાંથી પ્રવાહ આગળ ચાલ્યો અને 
સગરરાજાના સાઠ હજાર પુત્રોની ભસ્મ પર ફરી વળ્યો.અને સગર-પુત્રોની આમ છેવટે સદગતિ થઇ.
એક સુપુત્ર સાત પેઢીઓને તારે છે તે કહ્યું છે –તે ખોટું કહ્યું નથી.