Sep 10, 2021

Gujarati-Ramayan-Rahasya-69-ગુજરાતી-રામાયણ-રહસ્ય-69

અયોધ્યા જાન લઇને પાછા ફરતાં દશરથજીને શુભ અને અશુભ બંને પ્રકારના શુકન એકી સાથે થયા.જેથી તેમનું મન ખિન્ન થયું,અને તેમણે ગુરૂ વશિષ્ઠને તે બાબતે પૂછ્યું.વસિષ્ઠ કહે છે કે-રાજન ગભરાવાનું કોઈ કારણ નથી,થોડા વખતમાં આપત્તિ ઉતરશે પણ સાથે સાથે મૃગો જમણી બાજુ ઉતરે છે તે શુભ શુકન છે,તે બતાવે છે કે આપત્તિ ટળી પણ જશે.

Sep 9, 2021

Gujarati-Ramayan-Rahasya-68-ગુજરાતી-રામાયણ-રહસ્ય-68

ત્યાર બાદ સીતાજીની લગ્ન-મંડપમાં પધરામણી થઇ. તુલસીદાસજી કહે છે કે-સીતાજીની સુંદરતા વર્ણવી જાય તેમ નથી.કારણ કે બુદ્ધિ નાની છે ને સુંદરતા મોટી છે.
બ્રાહ્મણોએ શાંતિપાઠ ભણ્યો,ગણપતિ પૂજન થયું.સીતાજી સુંદર સિંહાસન પર વિરાજમાન થયાં.જનકરાજા અને તેમના રાણી અત્યંત પ્રેમમગ્ન બની ને રામચંદ્રનાં પવિત્ર ચરણ ધોવા લાગ્યાં.જે ચરણ-કમળ શિવજીના હૃદય-સરોવરમાં વિરાજે છે તેનો સ્પર્શ થતા,રાજારાણી અપૂર્વ આનંદ અને સુખ અનુભવી રહ્યાં. તે પછી કુળગુરૂ એ વર-કન્યાનો હસ્તમેળાપ કર્યો.