કૌશલ્યા માતાના ચરણમાં પ્રણામ કરીને ત્યાંથી શ્રીરામ ત્યાંથી નીકળવાની તૈયારી કરે છે,તે જ વખતે સીતાજી ત્યાં આવ્યા છે-સર્વને વંદન કરી ધરતી પર નજર રાખીને ઉભાં છે.રામચંદ્રે સીતાજીને કહ્યું કે-હે જાનકી,પિતાની આજ્ઞાથી હું ચૌદ વર્ષ વનમાં જાઉં છું,તમે તમારું અને મારું ભલું ચાહતા હો તો,મારું વચન માની ઘેર રહો,
જેથી મારાથી પિતાજીની આજ્ઞા પળાશે અને ઘેર તમારાથી સાસુ-સસરાની
સેવા થશે ,વળી તમે ઘેર રહેશો તો તેમને પણ ઘણો આધાર રહેશે.

