વાત એ વખતની છે જયારે દશરથરાજા યુવાનીને ઉંબરે પહોંચ્યા હતા.હજી તેમનાં લગ્ન થયા નહોતાં.ધનુર્વિદ્યામાં તે અતિ પારંગત હતા,આંખ મીંચી,માત્ર અવાજ પરથી તે ધાર્યું નિશાન વીંધતા હતા.આ શબ્દ-વેધી બાણ- વિદ્યાનો તેમને બહુ ગર્વ પણ હતો.ઘણીવાર કુમાર દશરથ એકલો,નદીના કિનારે કે ઉપવનમાં ફરવા નીકળી પડતો અને ક્યાંક સંતાઈને માત્ર અવાજ પરથી વન્ય-પશુના શિકાર કરતો.
Page list
- Home
- INDEX
- Pusatakalaya-Library-Gujarati Book
- Gita
- Gyaneshvari Gita
- Ramayan-Rahasya
- Ram Charit Manas
- Shrimad Bhagvat-Gujarati-As It Is
- Bhagvat Rahsya-Gujarati-ભાગવત રહસ્ય
- Yog-Vaasishth
- RajYog
- Mahabharat
- Darshan Shastro
- Veda
- Santo(Saints)
- Upnishads
- stotro
- Puran
- Yoga Shastro-Darshan-Shastro-Brahma Sutra
- Kunlini Chakro
- Shankaracharya Books
- Vishnu Sahastra Naam & Namavali
- Hindi Section-Sivohm
- Interesting Video
- Contact
Oct 8, 2021
Oct 7, 2021
Gujarati-Ramayan-Rahasya-95-ગુજરાતી-રામાયણ-રહસ્ય-95
મંત્રી સુમંત્ર પર શોકની એટલી બધી અસર થઇ છે કે,તેમની દ્રષ્ટિ મંદ થઇ ગઈ,કાને સંભળાવાનું ઓછું થઇ ગયું,ને બુદ્ધિ જાણે બહેર મારી ગઈ,જીવતા છતાં જાણે મૂવા જેવા થઇ ગયા.જાત સાથે જ વાતો કરતા હોય તેમ બબડે છે-અયોધ્યાના લોકો પૂછશે તો તેમને હું શું જવાબ આપીશ? કૌશલ્યામા,વાછરડીને મળવા ગાય દોડી આવે તેમ દોડી આવશે તો તેમને હું શું જવાબ આપીશ? મહારાજાને હું કેવી રીતે આશ્વાસન આપીશ? રામજી વનમાં જ રહી ગયા તેવું હું કેવી રીતે બોલી શકીશ?
Subscribe to:
Comments (Atom)

