Nov 13, 2021

Shrimad-Bhagvat-Gujarati-As It Is-BOOK-PART-2 (SKANDH-8 TO 12)


Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૨૬

લક્ષ્મણજી, શ્રીરામને પૂછે છે કે-જ્ઞાન શું ને વૈરાગ્ય શું?માયા શું અને બ્રહ્મ શું?ઈશ્વર શું અને જીવ શું? શું કરવાથી આપનાં ચરણમાં પ્રીતિ થાય અને શોક-મોહ હટે ? 
શ્રીરામચન્દ્રજી એ લક્ષ્મણજીના પ્રશ્નોના જવાબમાં જે ઉપદેશ કર્યો,તેણે સંતો “રામ-ગીતા” પણ કહે છે.શ્રીરામે બહુ જ થોડા શબ્દોમાં ગૂઢ વાત કહી નાંખી છે.

Nov 12, 2021

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૨૫

અગસ્ત્ય વિષેની બીજી કથા એવી છે કે-મહાસાગર મહાઅભિમાની બની ગયો હતો અને તે કોઈની આણ કે આમન્યા રાખતો નહોતો.તેથી અગસ્ત્યને ગુસ્સો ચડ્યો.અને તેઓ મહાસાગરને અંજલિમાં લઈને પી ગયા.અગસ્ત્યની આગળ મહાસાગર રાંક બની ગયો,અને મહાસાગર પાર કરી અગસ્યમુનિને ટાપુઓમાં થાણાં નાખવામાં (આશ્રમો સ્થાપવામાં) સાગરનો પ્રવાસ સરળ થયો એમ આ કથાનું હાર્દ છે.