Nov 16, 2021

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૨૮

ભગવાનનો ભક્ત કદી ભગવાનની આશા છોડતો નથી.ભગવાન પરની અપાર શ્રદ્ધાને લીધે,તેને નિરાશ થવું પડતું નથી.પણ જો પ્રભુ પરની શ્રદ્ધા જો ઓછી થાય તો તે ઓછી થયેલી જગા પુરવા નિરાશા દોડી આવે છે.એટલે જો શ્રદ્ધાથી હૃદય ભરાયેલું હોય તો નિરાશાને કદી સ્થાન જ નથી.

Nov 15, 2021

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૨૭

પંચવટી એટલે પાંચ-પ્રાણ.અને આ પાંચ પ્રાણમાં પરમાત્મા વિરાજે છે.
લોકો કહે છે કે- પ્રભુ દર્શન આપતા નથી,પણ પ્રભુ જો દર્શન આપે તો પ્રભુનું તેજ સહન કરવાની શક્તિ,આપણા “ચર્મ-ચક્ષુ” (આંખો) માં નથી,એટલે માટે,તો ભગવાને અર્જુનને પોતાનું અસલી સ્વ-રૂપનું દર્શન કરાવતાં પહેલાં “દિવ્ય ચક્ષુ”નું પ્રદાન કર્યું હતું.
(અને તેમ છતાં અર્જુન વ્યાકુળ થયો હતો!!)માટે જ મહાત્માઓ કહે છે કે-
પ્રભુનું સ્વ-રૂપ ભલે હૃદયમાં ના આવે પણ રામ-નામ છોડશો નહી.

Shrimad-Bhagvat-Gujarati-As It Is-Book-Part-1(Skandh 1 to 7)-શ્રીમદ ભાગવત-મૂળ રૂપે-બુક-ભાગ-1 (સ્કંધ-1 થી 7)