Nov 19, 2021

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૩૧

સત્યમાં જોવા જાવ તો શૂર્પણખા વિધવા છે,છતાં કહે છે કે-હું કુંવારી છું.એના 
ધણીને રાવણે જ માર્યો હતો,અને પોતાની બહેનને વિધવા કરી હતી.રાવણને તો 
બહેન શું કે બનેવી શું? એના અહંકારની વચ્ચે જે આવે તેને તે ખતમ કરી નાખતો.
અહંકાર માત્ર સ્વાર્થને જ ઓળખે છે.
રામજી શૂર્પણખાને કહે છે કે-હું તો પરણેલો છું,બાઈ,જો આ રહી મારી પત્ની સીતા.આ સાંભળતાં જ શૂર્પણખા દંત કટકટાવીને ભયંકર અવાજ કરી બોલી-એ સીતા તો મહા વિરૂપ છે,તે તારી સ્ત્રી થવાને યોગ્ય નથી,પણ તું જરા પણ ગભરાતો નહિ,પરણ્યા પછી એને હું ખાઈ જઈશ.

Nov 18, 2021

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૩૦

ગોદાવરીમાં સ્નાન કરીને એકવાર રામજી પર્ણકુટીમાં પાછા ફરતા હતા,
ત્યારે એક રાક્ષસીની નજર તેમના પર પડી,તે રાક્ષસીનું નામ હતું શૂર્પણખા.
શૂર્પણખા એ વાસનાનું સ્વરૂપ છે.લંકાના રાજા રાવણની એ બહેન હતી.
દંડકારણ્યમાં રાવણના લશ્કરની એક છાવણી હતી અને ખર-દૂષણ નામના બે રાક્ષસો તેના મુખ્ય અધિપતિ હતા,અને રાવણની બહેન તરીકે શૂર્પણખા આખા પ્રદેશ પર હકૂમત ભોગવતી હતી.ખર-દૂષણ પણ તેનાથી ડરીને ચાલતા.

Nov 17, 2021

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૨૯

માયા ક્યાં છે? તો કહે છે કે-ભોજન,ધન,ઘર,પત્ની,પુત્ર,કપડાં,ફર્નીચર-જ્યાં નજર કરો ત્યાં માયા જ માયા છે.કેટલાકને રોજ ભોજનમાં દહીં જોઈએ,તો કેટલાકને પાપડ-અથાણું જોઈએ.લૂલી (જીભ)ને રોજ આ જોઈએ ને તે જોઈએ.વાતો પરબ્રહ્મની કરે પણ નાનકડી વાત પરથી મન હટતું નથી.લૂલીનાં લાડ લડાયે જાય પણ એ લાડમાં સુખ નથી,પણ લૂલીને વધારે બગાડવાનો તરીકો છે.કેટલાક તો આખો વખત ભોજનમાં જ ફસાયેલા હોય છે-સવાર પડે કે-આજે દાળ બનાવશું કે કઢી? આજે ટીંડોળાનું શાક કે કંકોડાંનું શાક બનાવશું? કે પછી વિચારે કે- હમણાં હમણાં ઘણા સમયથી ભજીયાં કે પાતરાં ખાધાં નથી.તો સાંજે તે બનાવજો.(સાંજનો યે વિચાર સવારથી કરી નાખે)