Dec 3, 2021

Narad Maha Puran-In Gujarati-નારદ મહા પુરાણ-ગુજરાતી-001


Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૪૩

સતીએ કહ્યું કે-પિતાને ત્યાં પુત્રી નિમંત્રણ વગર પણ જઈ શકે છે.
શિવજી કહે છે કે-જઈ શકે છે,પણ પરસ્પર સ્નેહ ભાવ હોય તો. પરંતુ જ્યાં વેરભાવ છે,
જ્યાં સામાનું અપમાન કરવાની વૃત્તિ છે,ત્યાં આગળ વગર તેડે જવામાં હિત નથી.તેમ છતાં સતીએ હઠ કરી-એટલે શિવજીએ તેમને રજા આપી.અને પોતાના અનુચરોને સાથે જવાની આજ્ઞા કરી.સતી પિતાને ઘેર ગયા,પણ પિતાએ તેમની તરફ નજર સુધ્ધાં ના કરી.

Dec 2, 2021

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૪૨

શ્રીરામની પરીક્ષા કરવા સતીએ,સીતાજીનું રૂપ લીધું.ને શ્રીરામના રસ્તામાં જઈને એ ઉભા.એમને એવી ખાતરી હતી કે શ્રીરામ મનુષ્ય છે એટલે મને સીતાજી જ સમજી લેશે એટલે એમણે બીજી કોઈ બાજુનો વિચાર કર્યો જ નહિ.રામ અને લક્ષ્મણની નજર તેમના પર પડી.લક્ષ્મણને ઘડીક ભ્રમ થયો કે સીતાજી જ છે.પણ રસ્તામાં સતીજીને ઉભેલા જોઈ ને રામ એ રસ્તો છોડી ને બીજે રસ્તે ચાલવા લાગ્યા.ત્યારે સતીજીને થયું કે-અતિશય દુઃખ ને લીધે તેઓ મારા સીતાજીના રૂપને ઓળખી શક્યા નહિ હોય.