Dec 22, 2021

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૫૯

શ્રીરામની કૃપાથી ભાઈ-ભાઈનાં વેરઝેર આમ મટી ગયાં. મહાત્માઓ કહે છે કે-જિંદગીમાં કદી વેર-ઝેરને પોષશો નહિ,વેર-ઝેર ને વાસના રાખીને મરે તેનું મરણ બગડે છે.મરણ તો સૌના લલાટે લખાયેલું જ છે,પણ સાદું,સંયમી જીવન જીવીને તે મરણને સુધારવું તે મનુષ્યના પોતાના હાથની વાત છે.માટે જીવનમાંથી વેર-ભાવનાને છોડવી જોઈએ.

Dec 20, 2021

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૫૮

વાલી,શ્રીરામને કહે છે કે “હે,રામ,એક ક્ષત્રિય તરીકે તેં દગાથી,છુપાઈને મને વાનરને વગર અપરાધે માર્યો છે.આથી તારો યશ કલંકિત થયો છે,તું અધર્મી છે ને રાજધર્મને જાણતો નથી.
સાધુચરિત દશરથ રાજાનો પુત્ર થઇ તું આવો શઠ કેમ પાક્યો? સામી છાતીએ તું મારી સાથે લડવા કેમ ના આવ્યો? તારું ધર્મ-ધ્વજ-પણું,એ ઘાસથી ઢંકાયેલા કુવા જેવું છે,
તું જટા-વલ્કલનો વેશ ધારણ કરીને આવો અધર્મ આચરે છે?