Mar 18, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-124

વૈશંપાયન બોલ્યા-પછી,ગુરુ દ્રોણે,અર્જુનને ઘોડા,હાથી.રથ તેમ જ જમીન પરની રણવિદ્યાઓ શીખવી.

દ્રોણે,સર્વ કુમારોને તોમર,પ્રાસ,શક્તિ,ને સંકીર્ણ યુદ્ધ (એકી વખતે અનેક શસ્ત્રોથી અનેક સાથે યુદ્ધ) શીખવ્યું.

તેમની એ કુશળતા સાંભળીને હજારો રાજાઓને રાજપુત્રો ધનુર્વેદ શીખવા તેમની પાસે આવવા લાગ્યા.(29-31)

Mar 17, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-123

અધ્યાય-૧૩૨-દ્રોણે શિષ્યોની પરીક્ષા લીધી 


II वैशंपायन उवाच II ततः संपूजितो द्रोणो भीष्मेण द्विपदां वरः I विशश्राम महातेजा: पूजितः कुरुवेश्मनि II १ II

વૈશંપાયન બોલ્યા-પછી,ભીષ્મથી સત્કારાયેલા.તે મહાતેજસ્વી ને મનુષ્યોમાં શ્રેષ્ઠ એવા દ્રોણ,કુરુમંદિરમાં,

સન્માનપૂર્વક વિશ્રામ લેવા ગયા.તે વિશ્રાંતિ લઇ રહ્યા,ત્યારે ભીષ્મે,પોતાના પૌત્રોને લાવીને,તેમને શિષ્ય તરીકે સોંપ્યા.અને દ્રોણને વિવિધ ધન,ઘર-આદિ આપ્યું.દ્રોણે પણ,તે કુમારોને શિષ્ય તરીકે સ્વીકાર્યા.

પછી,પ્રસન્નમન દ્રોણ,તે સૌને,પોતાની નિકટ બેસાડીને એકાંતમાં કહેવા લાગ્યા કે-(1-5)

Mar 16, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-122

 દ્રોણ બોલ્યા-હે અચ્યુત,પૂર્વે હું મહર્ષિ અગ્નિવેશ પાસે ધનુર્વિદ્યા શીખવા ગયો હતો,ને ત્યાં બ્રહ્મચારી રહી,ગુરુસેવામાં પરાયણ થઈને ઘણાં વર્ષો રહ્યો હતો.તે વખતે,આશ્રમમાં,પાંચાલપતિનો યજ્ઞસેન(દ્રુપદ) નામનો રાજપુત્ર પણ ત્યાં ધનુર્વેદ શીખવા આવ્યો હતો.અમારી બંને વચ્ચે મૈત્રી થઇ હતી,તે વખતે તેને કહ્યું હતું (વચન આપ્યું હતું) કે-'હે દ્રોણ,હું પાંચાલપતિ પિતાનો પ્રિયતમ પુત્ર છું,અને તે જયારે મારો રાજ્યાભિષેક કરશે,ત્યારે તને પણ તે રાજ્ય ભોગવવા મળશે,તે તને હું શપથપૂર્વક કહું છું.મારા ભોગો,વૈભવો,ધન અને સુખો-એ બધું જ તારે અધીન થશે' ને પછી,અસ્ત્રવિધાની સમાપ્તિ કરીને 

તે ચાલ્યો ગયો હતો,ને તેનું એ વચન હું સદૈવ મનમાં ધારણ કરી રહ્યો હતો.