May 7, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-173

 
અધ્યાય-૧૯૨-ધૃષ્ટદ્યુમ્ને પાંડવોની તપાસ કરી 

II वैशंपायन उवाच II धृष्टध्युम्नस्तु पांचाल्यः पुष्ठतः कुरुनन्दनौ I अन्वगच्छत्तदयांतौ भार्गवस्य निर्वेशने  II १ II

વૈશંપાયન બોલ્યા-ભીમ ને અર્જુન એ કુરુનંદનો કુંભારને ઘેર જતા હતા ત્યારે,પાંચાલપતિનો પુત્ર ધૃષ્ટદ્યુમ્ન પણ તેમની પાછળ પાછળ ગયો હતો.કોઈ તેને ઓળખે નહિ,તેમ તે પોતે કુંભારના ઘરની નજીકમાં સંતાઈ રહ્યો હતો,

ને ચોમેર તેણે,પોતાના માણસોની ચોકી બેસાડી હતી.(1-2)

May 6, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-172

 
અધ્યાય-૧૯૧-બલરામ અને શ્રીકૃષ્ણ પાંડવો પાસે 

II वैशंपायन उवाच II 

गत्वा तु तां भार्गव कर्मशालां पार्थो पृथां प्राप्य महानुभावो I तां याज्ञसेनीं परमप्रतीतौ भिक्षत्यथा वेदयतां नराग्र्यौ  II १ II

વૈશંપાયન બોલ્યા-પછી,નરશ્રેષ્ઠ મહાનુભાવ ભીમ અને અર્જુન,એ બે પૃથાનંદનો કુંભારની તે કર્મશાળામાં ગયા અને 

તેમણે પરમપ્રસન્નતાપૂર્વક તે યાજ્ઞસેની દ્રૌપદીના સંબંધમાં 'અમે ભિક્ષા લાવ્યા છીએ' એમ કુંતીને જણાવ્યું.

કુટીમાં બેઠેલી કુંતીએ એ બંને પુત્રોને જોયા વિના જ કહ્યું કે-'તમે સૌ ભેગા મળીને તેનો ઉપયોગ કરજો'

પણ,પછી તેમણે કૃષ્ણાને જોઈ,તો કુંતી બોલી ઉઠી કે-'અરે,મેં તો કષ્ટકારક વચન કહી નાખ્યું' અને અધર્મના ભયથી કુંતી શોક કરવા લાગી.તેણે દ્રૌપદીનો હાથ પકડીને,તેને યુધિષ્ઠિર પાસે લઇ ગઈ.

May 5, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-171

અધ્યાય-૧૯૦-ભીમ અને અર્જુનનો વિજય 

II वैशंपायन उवाच II अजिनानि विधुन्वन्तः करकांश्च द्विज्जर्पमाः I उचुस्ते भीर्न कर्तव्या वयं योत्स्यामहे परान II १ II

વૈશંપાયન બોલ્યા-ત્યારે,મૃગચર્મ ને કમંડળો વિંઝાતા તે બ્રાહ્મણોએ કહ્યું-'બીશો નહિ અમે શત્રુઓ સામે લડીશું'

તે બ્રાહ્મણોને,અર્જુને જાણે હસતો હોય તેમ કહ્યું કે-'તમે બાજુએ ઉભા રહી માત્ર જોયા કરો.જેમ,ઝેરીલા સર્પોને મંત્રોથી વારવામાં આવે છે,તેમ,હું આ ક્રોધિષ્ઠ રાજાઓને મારા સેંકડો બાણોથી છિન્નભિન્ન કરી નાખીશ'

ને આમ કહીને,તે અર્જુને સ્વયંવરમાં જીતેલું ધનુષ્ય સજાવીને ભીમસેન પાસે આવીને ઉભો રહ્યો.(1-4)