Page list
- Home
- INDEX
- Pusatakalaya-Library-Gujarati Book
- Gita
- Gyaneshvari Gita
- Ramayan-Rahasya
- Ram Charit Manas
- Shrimad Bhagvat-Gujarati-As It Is
- Bhagvat Rahsya-Gujarati-ભાગવત રહસ્ય
- Yog-Vaasishth
- RajYog
- Mahabharat
- Darshan Shastro
- Veda
- Santo(Saints)
- Upnishads
- stotro
- Puran
- Yoga Shastro-Darshan-Shastro-Brahma Sutra
- Kunlini Chakro
- Shankaracharya Books
- Vishnu Sahastra Naam & Namavali
- Hindi Section-Sivohm
- Interesting Video
- Contact
Oct 6, 2021
Gujarati-Ramayan-Rahasya-94-ગુજરાતી-રામાયણ-રહસ્ય-94
તુલસીદાસજી કહે છે કે-તે વનવાસીઓ પર રામજીના દર્શનની,રામ-નામની એટલી બધી અસર થઇ હતી કે, લોકો કંદમૂળ-ફળ વગેરેના પડિયા ભરી ભરીને રામજીના દર્શન કરવા ચાલ્યા આવતા હતા.જાણે દરિદ્રો સોનું લુંટવા ચાલ્યા.રામ-દર્શનનું સોનું લુંટવા મળ્યું એટલે એમણે બીજી લૂંટ-ફાટ છોડી દીધી.રામચંદ્રજી પણ આ વનવાસીઓનો ખૂબ પ્રેમથી સત્કાર કરે છે,એમની સાથે હેત-પ્રીતથી વાતો કરે છે.વનવાસીઓના સુખનો-આનંદનો પાર નથી.
Oct 5, 2021
Gujarati-Ramayan-Rahasya-93-ગુજરાતી-રામાયણ-રહસ્ય-93
રામજીને જોવા,રામજીના દર્શન કરવા, સીમમાં લોકોનાં ટોળે-ટોળાં ઉભરાય છે.જે જુએ છે તે જોતાં જ રહે છે,
જાણે મોટો ખજાનો મળ્યો હોય તેવો તેમને હરખ ચડે છે.વડના ઝાડની નીચે છાયામાં પાંદડાંનું આસન બનાવીને રામજીને બે ઘડી બેસી થાક ખાવાની લોકો પ્રાર્થના કરે છે અને રામજી તે પ્રાર્થનાને સ્વીકારે પણ છે.
Oct 4, 2021
Gujarati-Ramayan-Rahasya-92-ગુજરાતી-રામાયણ-રહસ્ય-92
કેવટ ના પ્રસંગનું રહસ્ય એવું છે કે-કેવટ એ નિઃસાધન છે,એટલે કે તેણે પરમાત્મા માટે કોઈ સાધન કર્યું નહોતું,પણ,એનો પરમાત્મા પ્રત્યેનો પ્રેમ (સ્નેહ) એ,સંપૂર્ણ છે,એનું પ્રભુ પ્રત્યેનું સમર્પણ સંપૂર્ણ છે.તેથી એ પ્રભુની કૃપાનો અધિકારી બન્યો છે.માગ્યા વગર (અયાચિત) જ પ્રભુનો અનુગ્રહ (કૃપા) પામનારો એ પુષ્ટિ-ભક્ત છે.અને પ્રભુનો અનુગ્રહ (કૃપા) તેણે ઉતરાઈ-રૂપે મળે છે.(બીજું કશું પ્રભુ પાસે તે વખતે નહોતું!!)
Subscribe to:
Comments (Atom)


