જ્યાં સુધી મીઠી લાગે છે ત્યાં સુધી,મનુષ્ય ને ભક્તિનો રંગ લાગતો નથી.ભોગ અને ભક્તિ
એક ઠેકાણે રહી શકતાં નથી.લોકો એમ માને છે કે ભક્તિ કરવી સહેલી છે,પણ તે સાચું નથી.
“શિર સાટે નટવરને વરીએ.” ભક્તિ એ કોઈ દેખાદેખીનો વિષય નથી.
અહીં તો શિર આપવાની તૈયારી જોઈએ.
સંસારના વિષય-સુખોનો મનથી પણ જો ત્યાગ થાય તો જ ભક્તિનો રંગ આવે છે.


