Oct 18, 2021

Gujarati-Ramayan-Rahasya-105-ગુજરાતી-રામાયણ-રહસ્ય-105

જેને ભક્તિનો રંગ લાગે છે,તેને સંસારના ભોગ રોગ સમાન લાગે છે.સંસારની માયા 
જ્યાં સુધી મીઠી લાગે છે ત્યાં સુધી,મનુષ્ય ને ભક્તિનો રંગ લાગતો નથી.ભોગ અને ભક્તિ 
એક ઠેકાણે રહી શકતાં નથી.લોકો એમ માને છે કે ભક્તિ કરવી સહેલી છે,પણ તે સાચું નથી.
“શિર સાટે નટવરને વરીએ.” ભક્તિ એ કોઈ દેખાદેખીનો વિષય નથી.
અહીં તો શિર આપવાની તૈયારી જોઈએ.
સંસારના વિષય-સુખોનો મનથી પણ જો ત્યાગ થાય તો જ ભક્તિનો રંગ આવે છે.

Oct 17, 2021

Gujarati-Ramayan-Rahasya-104-ગુજરાતી-રામાયણ-રહસ્ય-104

ભરતજીએ પણ તીર્થરાજમાં સ્નાન કરી હાથ જોડી પ્રાર્થના કરી કે-હે તીર્થરાજ,
હું દુઃખી છું,દુઃખી માણસ કયું કુકર્મ નથી કરતો? એમ આજે હું ક્ષત્રિયનો ન માગવાનો ધર્મ ચૂકીને,આપની પાસે માગું છું કે,મારે,ધર્મ,અર્થ,કામ કે મોક્ષ –એ 
કશું જોઈતું નથી.હું તો માત્ર એટલું જ માગું છું કે –જન્મોજન્મ મારો 
શ્રીરામચરણ માં પ્રેમ થાઓ. “જનમ જનમ રતિ રામપદ,યહ બરદાનુંન આન “

Oct 16, 2021

Shrimad-Bhagvat-Gujarati-As It Is-Skandh-7-Adhyaya-4-શ્રીમદ ભાગવત-મૂળ રૂપે-સ્કંધ-7-અધ્યાય-4


Gujarati-Ramayan-Rahasya-103-ગુજરાતી-રામાયણ-રહસ્ય-103

“રામનો મિત્ર છે” એવું જ્યાં ભરતજીએ સાંભળ્યું કે તે આનંદમાં આવી ગયા ને 
રથમાંથી કુદી પડી ને નિષાદરાજને મળવા દોડ્યા. નિષાદરાજે પ્રણામ કર્યા,
ત્યારે ભરતે ખૂબ પ્રેમથી તેને છાતી-સરસો ચાંપ્યો.ચારે તરફ “ધન્ય હો,ધન્ય હો” 
થઇ રહ્યું,ભોજનના થાળ તો એમ ને એમ બાજુ પર રહી ગયા,ભરતજીએ તો 
એ કશાની સામે નજર સરખી કરી નથી.ભરતજી ત્રણે ગુણોથી પર છે,નિર્ગુણ છે.