Nov 6, 2021

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૧૯

અત્રિ-ઋષિએ કરેલી રામજીની સ્તુતિ અતિ સુંદર છે.
અત્રિ-ઋષિના પત્ની અનસૂયા મહાન તપસ્વીની હતાં.તેમની તપસ્યા અદભૂત હતી.
એકવાર જયારે દેશમાં દશ વર્ષ સુધી લાગલગાટ,દુકાળ પડેલો,ત્યારે નદી-નાળાં સુકાઈ ગયા,
અનાજનો દાણો તો શું,ક્યાંય લીલું પાંદડું પણ જોવા મળતું નહોતું,મનુષ્યો અને પશુ-પંખીના દુઃખનો પાર નહોતો,જીવોને જીવવાનું મુશ્કેલ બની ગયું.

Nov 4, 2021

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૧૮

એક દિવસ એવું બન્યું કે-જૈમિની સંધ્યાવંદન કરી તેનું જળ બહાર નાખવા આશ્રમમાંથી બહાર આવ્યા,ત્યારે તેમણે એક યુવતિને ઝાડ હેઠળ વરસાદમાં ભીંજાતી જોઈ,તેમને દયા આવી,અને તે યુવતિને કહ્યું-કે-શા સારું બહાર ભીંજાઓ છો,અંદર આશ્રમમાં આવી વિશ્રામ કરો.ત્યારે તે યુવતિએ કહ્યું કે-પુરુષોનો મને વિશ્વાસ નથી.
જૈમિની કહે છે કે-હું પૂર્વ-મીમાંસાનો આચાર્ય જૈમિની ઋષિ,ને મારો વિશ્વાસ નહિ?
મારા જેવા તપસ્વી અને જ્ઞાનીનો વિશ્વાસ નહિ કરો તો કોનો વિશ્વાસ કરશો?

Nov 3, 2021

Shrimad-Bhagvat-Gujarati-As It Is-Skandh-7-Adhyaya-14-શ્રીમદ ભાગવત-મૂળ રૂપે-સ્કંધ-7-અધ્યાય-14


Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૧૭

શ્રીરામ કહે છે કે-એ ભૂમિ પર એકવાર સુંદ અને ઉપસુંદ નામના બે ભાઈઓ રહેતા હતા.તેમની તપશ્ચર્યાથી બ્રહ્માજી પ્રસન્ન થયા,ત્યારે તેમણે માગ્યું કે-“અમે કદી મરીએ નહીં,તેવું વરદાન અમને આપો” બ્રહ્મા કહે છે કે-તમારી માગણી પર કંઇક અંકુશ રાખો!  
બંને ભાઈઓ વચ્ચે ખૂબ જ પ્રેમ અને હળી-મળીને રહે-કે એમને થયું કે-“આપણી બંનેની વચ્ચે તો કદી ઝગડો-કજીયો તો કદી થવાનો જ નથી.તેથી તેમણે માગ્યું કે-“મહારાજ,અમે બે ભાઈઓ વચ્ચે ઝગડો થાય,અને અમે બાઝીએ તો જ અમારું મરણ થાય,બાકી તે સિવાય ક્યારે ય કદી અમારું મૃત્યુ થાય નહીં તેવું વરદાન અમને આપો” બ્રહ્માએ કહ્યું –તથાસ્તુ.