લક્ષ્મણજી શ્રીરામને આશ્વાસન આપે છે અને બંને પર્ણકુટી પાછા ફરે છે.જુએ છે તો પર્ણકુટીમાં સીતાજી નથી.શ્રીરામ બહાવરા બની જાય છે ,અને લક્ષ્મણજીને ધ્રાસકો પડ્યો.તેમને પારાવાર પસ્તાવો થાય છે કે-સીતાજીના કઠોર વચનો સહી લઈને પણ હું અહીં જ રહ્યો હોત તો સારું થાત.મેં ખોટું કર્યું.પણ હવે શું થાય? કદાચ સીતાજી નદીએ પાણી ભરવા કે ફુલ વીણવા ગયા હોય,એમ સમજી બંનેએ ચારે તરફ તપાસ કરી પણ સીતાજીનો ક્યાંય પત્તો મળ્યો નહિ.
Page list
- Home
- INDEX
- Pusatakalaya-Library-Gujarati Book
- Gita
- Gyaneshvari Gita
- Ramayan-Rahasya
- Ram Charit Manas
- Shrimad Bhagvat-Gujarati-As It Is
- Bhagvat Rahsya-Gujarati-ભાગવત રહસ્ય
- Yog-Vaasishth
- RajYog
- Mahabharat
- Darshan Shastro
- Veda
- Santo(Saints)
- Upnishads
- stotro
- Puran
- Yoga Shastro-Darshan-Shastro-Brahma Sutra
- Kunlini Chakro
- Shankaracharya Books
- Vishnu Sahastra Naam & Namavali
- Hindi Section-Sivohm
- Interesting Video
- Contact
Nov 29, 2021
Nov 28, 2021
Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૩૮
સીતાજી અશોક-વાટિકામાં રામનું ધ્યાન કરતાં બેઠાં હતાં.ત્યાં રાવણ આવીને તેમની સામે ઉભો અને નફફટાઈથી ચાલ રમતો બોલ્યો “આ દશાનન રાવણ કોઈ સ્ત્રી આગળ કોમળ થયો નથી,તે દશે શીશ વડે તને પ્રણામ કરીને કહે છે કે-તુ મારો સ્વીકાર કર.
સીતાજીએ ત્યારે પોતાની અને રાવણની વચ્ચે એક તણખલું મુક્યું.તણખલું મૂકીને તેમણે એમ બતાવ્યું કે-તું મારે મન તણખલા બરાબર છે.હું તારાથી મુદ્દલે બીતી નથી.
સીતાજીએ ત્યારે પોતાની અને રાવણની વચ્ચે એક તણખલું મુક્યું.તણખલું મૂકીને તેમણે એમ બતાવ્યું કે-તું મારે મન તણખલા બરાબર છે.હું તારાથી મુદ્દલે બીતી નથી.
Nov 26, 2021
Nov 25, 2021
Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૩૭
કાન પ્રભુ માટે,આખું શરીર પ્રભુ માટે.આંખથી પ્રભુને બધે જોવાના,કાનથી પ્રભુને બધે સાંભળવાના,હાથ-પગથી બધે પ્રભુની સેવા કરવાની.આમ બધે જ પ્રભુનું દર્શન થાય તે જ પ્રભુનું સાચું ધ્યાન.યોગીઓ આંખો મીંચીને બેસે છે,તો યે ઘણી વખત પ્રભુને નથી પામતા,પણ ગોપીઓ ઉઘાડી આંખે પ્રભુનાં સર્વ જગ્યાએ દર્શન કરતી હતી.
બધે પ્રભુનાં દર્શન થાય તે જ જ્ઞાન.તે જ ધ્યાન.,તે જ સમાધિ.
Nov 24, 2021
Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૩૬
જગતમાં કોઈ એવી જગ્યા નથી કે જ્યાં રામજી ના વિરાજતા હોય.
સર્વ-વ્યાપક પરમાત્મા બધે જ છે.એટલે જ બધાં સ્થળ રામનું ધ્યાન કરવા માટે યોગ્ય છે.
ધ્યાન કરનારો ધીરે ધીરે જગતને ભૂલે છે.અને પછી પોતાને પણ ભૂલી જાય છે,ત્યારે ધ્યાતા (ધ્યાન કરનાર).ધ્યાન,અને ધ્યેય (પરમાત્મા)એક થઇ જાય છે.દ્રષ્ટા (જોનાર) દૃશ્ય અને દર્શન ત્રણે એક થઇ જાય છે.અને હવે જે સાધક છે એ જ સાધ્ય બની જાય છે અને તેથી તે જ સાધના છે.
જીવ,શિવ અને સૃષ્ટિ એક થઇ જાય છે.
Subscribe to:
Comments (Atom)



