Dec 14, 2021

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-કિષ્કિન્ધા કાંડ-૧૫૩

કિષ્કિંધાકાંડ
શબરીનો ઉદ્ધાર કરી શ્રીરામ ઋષ્યમૂક પર્વત તરફ આગળ વધ્યા.
તે વખતે વાનરરાજ સુગ્રીવ પોતાના સલાહકારોથી વીંટળાઈને પર્વત પર બેઠેલો હતો.
દૂરથી તેમણે રામ-લક્ષ્મણને જોયા.જટાધારી તપસ્વી વેશમાં પણ તેમની વીર-પ્રતિભા,
સુગ્રીવથી છાની રહી નહિ.એને બીક લાગી કે –મારા દુશ્મન બનેલા મારા ભાઈ વાલીએ,મારો નાશ કરવા તો આમને મોકલ્યા નહી હોયને? કદાચ મારો વિશ્વાસ સંપાદન કરવા આવો સાધુવેશ તો ધારણ નહી કર્યો હોયને? સુગ્રીવે પોતાના મનની આ શંકા પોતાના સાથીદારોને કહી.અને તે ભયનો માર્યો ધ્રુજી ઉઠયો.

Dec 13, 2021

Narad Maha Puran-In Gujarati-નારદ મહા પુરાણ-ગુજરાતી-010


Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૫૨

ભક્તિ એ પ્રેમ અને સેવા વગર સફળ થતી નથી.પ્રેમમાં એવી શક્તિ છે કે,
નિરાકાર.એ સાકાર બને છે.પ્રેમ કરવા લાયક એક ઈશ્વર જ છે,
અને ઈશ્વર જીવ પાસેથી માત્ર પ્રેમ જ માગે છે.
સંતો કહે છે કે-ઈશ્વર સાથે ખૂબ પ્રેમ કરો.ઈશ્વરની સેવા કરતાં,હૃદય પીગળે,
અને આંખમાંથી આંસુ વહે,તો માનજો કે ઈશ્વરની સાચી સેવા કરી.

Dec 12, 2021

Narad Maha Puran-In Gujarati-નારદ મહા પુરાણ-ગુજરાતી-009


Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૫૧

આપણા થઇ ગયેલા ઋષિ-મુનિઓએ કોઈને છેતરવા શાસ્ત્રો લખ્યાં નથી. તેઓ તો નિસ્વાર્થી હતા.તેમના દિલમાં માત્ર એક જ આકાંક્ષા –ઈચ્છા હતી –અને તે પરોપકારની,માનવ સેવાની.એટલે એમણે જે શાસ્ત્રોમાં કહ્યું તે ખોટું નથી.આપણી બુદ્ધિમાં કોઈ વાત ઉતરે નહિ તો એનો અર્થ એ નથી કે –તે વાત ખોટી છે.
સાચી વાત તો એ છે કે આપણી બુદ્ધિ સીમિત છે જયારે ઋષિમુનિઓની બુદ્ધિ વિશાળ હતી.આપણને ના સમજાય તેવું ઘણું-બધું એ વિશાળ બુદ્ધિને સમજાણું છે,તેનો અનુભવ કર્યો છે,અને લખ્યું છે.એટલે આપણા ઋષિ-મુનિઓની વાતમાં શંકા કરવા જેવું નથી.