Dec 17, 2021

Narad Maha Puran-In Gujarati-નારદ મહા પુરાણ-ગુજરાતી-014


Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૫૬

હવે લક્ષ્મણે શ્રીરામનો પરિચય આપી,સીતાહરણની વાત કરી કહ્યું કે-સીતાને હરી જનાર રાક્ષસનો પત્તો લાગતો નથી અને તેથી અમે બંને ભાઈઓ સુગ્રીવને શરણે આવ્યા છીએ.
વાલ્મિકીજી કહે છે કે-અહો,કાળનું કેવું બળ છે!! પ્રતાપી રાજા દશરથના મહાસમર્થ પુત્ર વનચર જાતિના રાજા સુગ્રીવની કૃપા-પ્રસાદી ઈચ્છે છે !! હનુમાનજી કહે છે કે-લક્ષ્મણજી તમે ખેદ ના કરો,સૌ સારાં વાનાં થશે,સુગ્રીવ આપને અવશ્ય મદદ કરશે,તેને પણ વાલીની સામે લડવામાં આપની મદદની જરૂર છે,એમ કહીને એમણે વાલીના ત્રાસની બધી વાત કરી.

Dec 16, 2021

Narad Maha Puran-In Gujarati-નારદ મહા પુરાણ-ગુજરાતી-013


Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૫૫

મનુષ્ય પ્રેમ કર્યા વગર રહી શકતો નથી,પણ તે પ્રેમ કરે છે,ધન સાથે,યશ સાથે,સ્ત્રી સાથે,
બાળકો સાથે કે બાળકોના બાળકો સાથે.તેને પરમાત્મા સાથે પ્રેમ કરવાની ફુરસદ નથી,
પરમાત્મા સિવાય બીજા કોઈ પણ સાથે કરેલો પ્રેમ માણસને છેવટે રડાવે છે.
પરમાત્મા સાથેનો પ્રેમ જ મનુષ્યને સુખ,શાંતિ અને આનંદ આપનારો નીવડે છે.
જગત અપૂર્ણ છે,જીવ પણ અપૂર્ણ છે.જીવ પરિપૂર્ણ ત્યારે બને જયારે તે ઈશ્વર સાથે મૈત્રી કરે,
પ્રેમ કરે.ઈશ્વર તેને જ મળે છે જે ઈશ્વરને પરિપૂર્ણ પ્રેમ આપે છે.ઈશ્વર પૂર્ણ છે જીવ અપૂર્ણ છે,ઈશ્વર સાથે પ્રેમ કરવા બીજા જીવો સાથેનો પ્રેમ છોડવો પડે છે.