Dec 20, 2021

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૫૮

વાલી,શ્રીરામને કહે છે કે “હે,રામ,એક ક્ષત્રિય તરીકે તેં દગાથી,છુપાઈને મને વાનરને વગર અપરાધે માર્યો છે.આથી તારો યશ કલંકિત થયો છે,તું અધર્મી છે ને રાજધર્મને જાણતો નથી.
સાધુચરિત દશરથ રાજાનો પુત્ર થઇ તું આવો શઠ કેમ પાક્યો? સામી છાતીએ તું મારી સાથે લડવા કેમ ના આવ્યો? તારું ધર્મ-ધ્વજ-પણું,એ ઘાસથી ઢંકાયેલા કુવા જેવું છે,
તું જટા-વલ્કલનો વેશ ધારણ કરીને આવો અધર્મ આચરે છે?

Dec 19, 2021

Narad Maha Puran-In Gujarati-નારદ મહા પુરાણ-ગુજરાતી-015


Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૫૭

શ્રીરામનો શોક જોઈને સુગ્રીવની આંખોમાંથી પણ આંસુ આવી ગયાં.તેણે રામજીને આશ્વાસન આપતાં કહ્યું કે-હું રાવણને કે તેના નિવાસસ્થાનને જાણતો નથી,તેમ છતાં હું પ્રતિજ્ઞાપૂર્વક કહું છું કે-રાવણનો નાશ કરીને હું તમને સીતાજીને પાછાં લાવી આપીશ.
શ્રીરામ આંસુ લુછી સ્વસ્થ થયા ને સુગ્રીવને ભેટ્યા,અને કહે છે કે-પહેલું તો મારે વાલીને હણીને તારું કામ કરવાનું છે એટલે વાલી કેવો બળવાન છે તે મારે જાણવું છે.

Dec 17, 2021

Narad Maha Puran-In Gujarati-નારદ મહા પુરાણ-ગુજરાતી-014


Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૫૬

હવે લક્ષ્મણે શ્રીરામનો પરિચય આપી,સીતાહરણની વાત કરી કહ્યું કે-સીતાને હરી જનાર રાક્ષસનો પત્તો લાગતો નથી અને તેથી અમે બંને ભાઈઓ સુગ્રીવને શરણે આવ્યા છીએ.
વાલ્મિકીજી કહે છે કે-અહો,કાળનું કેવું બળ છે!! પ્રતાપી રાજા દશરથના મહાસમર્થ પુત્ર વનચર જાતિના રાજા સુગ્રીવની કૃપા-પ્રસાદી ઈચ્છે છે !! હનુમાનજી કહે છે કે-લક્ષ્મણજી તમે ખેદ ના કરો,સૌ સારાં વાનાં થશે,સુગ્રીવ આપને અવશ્ય મદદ કરશે,તેને પણ વાલીની સામે લડવામાં આપની મદદની જરૂર છે,એમ કહીને એમણે વાલીના ત્રાસની બધી વાત કરી.