Dec 22, 2021

Narad Maha Puran-In Gujarati-નારદ મહા પુરાણ-ગુજરાતી-016


Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૫૯

શ્રીરામની કૃપાથી ભાઈ-ભાઈનાં વેરઝેર આમ મટી ગયાં. મહાત્માઓ કહે છે કે-જિંદગીમાં કદી વેર-ઝેરને પોષશો નહિ,વેર-ઝેર ને વાસના રાખીને મરે તેનું મરણ બગડે છે.મરણ તો સૌના લલાટે લખાયેલું જ છે,પણ સાદું,સંયમી જીવન જીવીને તે મરણને સુધારવું તે મનુષ્યના પોતાના હાથની વાત છે.માટે જીવનમાંથી વેર-ભાવનાને છોડવી જોઈએ.

Dec 20, 2021

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૫૮

વાલી,શ્રીરામને કહે છે કે “હે,રામ,એક ક્ષત્રિય તરીકે તેં દગાથી,છુપાઈને મને વાનરને વગર અપરાધે માર્યો છે.આથી તારો યશ કલંકિત થયો છે,તું અધર્મી છે ને રાજધર્મને જાણતો નથી.
સાધુચરિત દશરથ રાજાનો પુત્ર થઇ તું આવો શઠ કેમ પાક્યો? સામી છાતીએ તું મારી સાથે લડવા કેમ ના આવ્યો? તારું ધર્મ-ધ્વજ-પણું,એ ઘાસથી ઢંકાયેલા કુવા જેવું છે,
તું જટા-વલ્કલનો વેશ ધારણ કરીને આવો અધર્મ આચરે છે?

Dec 19, 2021

Narad Maha Puran-In Gujarati-નારદ મહા પુરાણ-ગુજરાતી-015


Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૫૭

શ્રીરામનો શોક જોઈને સુગ્રીવની આંખોમાંથી પણ આંસુ આવી ગયાં.તેણે રામજીને આશ્વાસન આપતાં કહ્યું કે-હું રાવણને કે તેના નિવાસસ્થાનને જાણતો નથી,તેમ છતાં હું પ્રતિજ્ઞાપૂર્વક કહું છું કે-રાવણનો નાશ કરીને હું તમને સીતાજીને પાછાં લાવી આપીશ.
શ્રીરામ આંસુ લુછી સ્વસ્થ થયા ને સુગ્રીવને ભેટ્યા,અને કહે છે કે-પહેલું તો મારે વાલીને હણીને તારું કામ કરવાનું છે એટલે વાલી કેવો બળવાન છે તે મારે જાણવું છે.