સુરસા,સિંહીકા,અને લંકિની-એ આ સંસારની ત્રિગુણી (ત્રણ-ગુણ વાળી) માયાનું સ્વરૂપ છે.એને વશ કર્યા વગર કે તેનો નાશ કર્યા વગર લક્ષ્ય (સત્ય) ની સિદ્ધિ થતી નથી.જીવનમાં સાત્વિક,રાજસિક અને તામસિક –એ ત્રણે ગુણો-રૂપી માયાનાં પ્રલોભનો,સામે આવીને ઉભાં થઇ જાય છે,ત્યારે તેમાંથી કોઈને વિવેકથી ને ચતુરાઈથી વશ કરવાં પડે, કોઈનો નિર્મૂળ નાશ કરવો પડે છે,તો કોઈના પર પોતાની શક્તિનો પ્રયોગ કરી,નિર્બળ બનાવી, તેની મદદ પણ લેવી પડે છે.
અહીં હનુમાનજી,સુરસાને ચતુરાઈ અને વિવેકથી વશ કરે છે,સિંહીકાનો નાશ કરી માર્ગ નિષ્કંટક કરે છે,
તો લંકિની પર મુષ્ટિ-પ્રહાર કરી અધમુઇ કરી તેને પોતાની મદદમાં લે છે.
અહીં હનુમાનજી,સુરસાને ચતુરાઈ અને વિવેકથી વશ કરે છે,સિંહીકાનો નાશ કરી માર્ગ નિષ્કંટક કરે છે,
તો લંકિની પર મુષ્ટિ-પ્રહાર કરી અધમુઇ કરી તેને પોતાની મદદમાં લે છે.