Jan 20, 2022

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૮૦

સ્વામી (માલિક) અને સેવકનો વ્યવહાર કેવો હોય? તે શ્રીરામ અને હનુમાનજી આપણને સમજાવે છે.હનુમાનજીનો આદર્શ અને ધર્મ છે-નિષ્કામ સેવાનો.માત્ર કર્મ કરવા પર અધિકાર રાખ્યો છે,કર્મના ફળ પર કોઈ અધિકાર રાખ્યો નથી,”મેં કશું કર્યું નથી-પ્રભુએ કરાવ્યું ને બધું ફળ પ્રભુનું છે” તો પછી સ્વામીનો ધર્મ શું? સ્વામીનો ધર્મ છે- સેવકની કદર કરવાનો.
શ્રીરામ ફરી ફરી હનુમાનજીને છાતી સરસા લગાવે છે,ને આંખમાં હર્ષના આંસુ સાથે કહે છે કે-“હું તારા ઉપકાર હેઠળ છું,હું તારું ઋણ કોઈ રીતે વાળી શકું તેમ નથી.”

Jan 19, 2022

Narada Puran-In Gujarati-નારદ પુરાણ-ગુજરાતી-035


Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૭૯

સુરસા,સિંહીકા,અને લંકિની-એ આ સંસારની ત્રિગુણી (ત્રણ-ગુણ વાળી) માયાનું સ્વરૂપ છે.એને વશ કર્યા વગર કે તેનો નાશ કર્યા વગર લક્ષ્ય (સત્ય) ની સિદ્ધિ થતી નથી.જીવનમાં સાત્વિક,રાજસિક અને તામસિક –એ ત્રણે ગુણો-રૂપી માયાનાં પ્રલોભનો,સામે આવીને ઉભાં થઇ જાય છે,ત્યારે તેમાંથી કોઈને વિવેકથી ને ચતુરાઈથી વશ કરવાં પડે, કોઈનો નિર્મૂળ નાશ કરવો પડે છે,તો કોઈના પર પોતાની શક્તિનો પ્રયોગ કરી,નિર્બળ બનાવી, તેની મદદ પણ લેવી પડે છે.
અહીં હનુમાનજી,સુરસાને ચતુરાઈ અને વિવેકથી વશ કરે છે,સિંહીકાનો નાશ કરી માર્ગ નિષ્કંટક કરે છે,
તો લંકિની પર મુષ્ટિ-પ્રહાર કરી અધમુઇ કરી તેને પોતાની મદદમાં લે છે.

Jan 18, 2022

Narada Puran-In Gujarati-નારદ પુરાણ-ગુજરાતી-034


Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૭૮

મનુષ્યના જીવનના કર્તા-હર્તા પરમાત્મા છે,અને જીવને આ સત્યની પ્રતીતિ ત્યારે જ થાય જયારે પરમાત્મામાં પ્રીતિ થાય.બાકી જ્ઞાનની (કર્તા-હર્તા પરમાત્મા છે-એવી) મોટી-મોટી વાતોથી કશું વળતું નથી.આપણે તો કોઈનું નાનું શું પણ કામ કર્યું હોય,તો મોટો વાઘ માર્યો હોય તેવી બડાઈઓ હાંકીએ છીએ.અને “મેં કર્યું” એવો ખોટો ખોટો જશ લેવા દોડી પણ જઈએ છીએ.
એ વખતે જીવ ભૂલી જાય છે કે-“કર્તા-હર્તા ભગવાન છે,ને મેં કશું કર્યું નથી”
ગીતાજીમાં પ્રભુએ બૂમો પાડીને કહ્યું –કે-“ફળ પર તારો અધિકાર નથી”.
પણ તેને સાચી રીતે ગીતાના એ “કર્મણ્યેવાધિકારસ્તે” ને સમજવાની જીવ ને ફુરસદ ક્યાં છે?