રાવણના વધથી દેવો ભલે ખુશ થયા હોય,અને ભલે દેવોને એમ લાગતું હોય કે –અમારું કામ પતી ગયું છે.પણ રામજીને તેમ લાગતું નથી.તેમનું કાર્ય ત્યારે પૂર્ણ થાય.કે જયારે “દુષ્ટો” સાથે “દુષ્ટતાની વૃત્તિ” પણ નાશ પામે.ને રામરાજ્ય સ્થપાય.દેવતાઓની ભોગવૃત્તિ છે,અને આ ભોગ-વૃત્તિ એ સ્વાર્થ-વૃત્તિની બહેન છે.દેવોને તો તેમના રસ્તા પર આવતા કંટકોને દૂર કર્યા સિવાય,તે વિષયમાં બહુ ઊંડા ઉતારવાની ટેવ નથી,કારણકે બહુ ઊંડા ઉતરે તો તેમના ભોગો કેમ ભોગવાય?(સ્વાર્થ) એટલે તો,રાવણ નામનો કાંટો હટી ગયો, એટલે દેવો સમજે છે કે તેમનું કામ પૂર્ણ થઇ ગયું!!!
Feb 24, 2022
Feb 23, 2022
Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૨૦૬
વેદવતીની કથાનું રહસ્ય એવું છે કે-વેદવતી એટલે વેદને જાણનારી,વેદને ગ્રહણ કરનારી.
વેદવતી એ સાક્ષાત વેદની વાણી છે,વેદની વિદ્યા છે.રાવણ પોતે વેદ-વિદ હતો,વેદ ભણેલો હતો પણ વેદની વિદ્યા (જ્ઞાન)થી તે દૂર હતો.જ્ઞાનની સાથે,વિવેક,નમ્રતા,નિર્લોભીપણું,
નિષ્કામતા-વગેરે ન હોય તો તે જ્ઞાન ભાર-રૂપ થઇ પડે છે,રાવણ એવા ભાર-રૂપ જ્ઞાનને લઈને ફૂલ્યો હતો,એટલે વેદ-વિધા (જ્ઞાન) તેનાથી દૂર હતી.
વેદવતી એ સાક્ષાત વેદની વાણી છે,વેદની વિદ્યા છે.રાવણ પોતે વેદ-વિદ હતો,વેદ ભણેલો હતો પણ વેદની વિદ્યા (જ્ઞાન)થી તે દૂર હતો.જ્ઞાનની સાથે,વિવેક,નમ્રતા,નિર્લોભીપણું,
નિષ્કામતા-વગેરે ન હોય તો તે જ્ઞાન ભાર-રૂપ થઇ પડે છે,રાવણ એવા ભાર-રૂપ જ્ઞાનને લઈને ફૂલ્યો હતો,એટલે વેદ-વિધા (જ્ઞાન) તેનાથી દૂર હતી.
Feb 22, 2022
Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૨૦૫
નક્કી કરો કે-આજથી મારું જીવન ભોગ માટે નથી,ધન ભેગું કરવા માટે નથી,પણ પરમાત્મા માટે જ છે.આટલું જ જો સમજી લેવામાં આવે તો આગળનો રસ્તો આપોઆપ સરળ થઇ જશે.પરમાત્માને સ્વામી માનો કે પિતા માનો.જો પિતા કહેતાં શરમ આવતી હોય તો-પરમાત્મા તમારો બેટો (પુત્ર) થવા પણ તૈયાર છે.પણ કોઈ પણ રીતે તેમની સાથે સંબંધ જોડો.
Feb 21, 2022
Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૨૦૪
આ બાજુ પતિનાં મસ્તકો અને ભુજાઓ જોઈને મંદોદરી વિલાપ કરે છે.
“હે,નાથ,તમારી જે ભુજાઓએ કાળ અને યમરાજને પણ જીત્યા હતા,તે આજે અનાથની જેમ અહીં પડી છે! વિધાતાની આખી સૃષ્ટિ જે તમારા મસ્તકોને મસ્તક નમાવતી હતી,તે મસ્તકો અહીં ધૂળમાં રગદોળાય છે! અહંકારમાં તમે કોઈનું યે માન્યું નહિ,અને શ્રીરામ સાથે વેર બાંધ્યું,તો આજે તમારા કુળમાં કોઈ રડનારું યે ના રહ્યું,કે ના તમને અગ્નિસંસ્કાર કરનાર પુત્ર પણ રહ્યો.શિવ અને બ્રહ્મા-આદિ દેવો જેમને ભજે છે,તે કરુણાળુ ભગવાનને તમે ભજ્યા નહિ,છતાં તેમણે તમારા પર કૃપા કરી,તમને નિજ-ધામ આપ્યું.ખરેખર,શ્રીરામ કૃપાના સાગર છે.
“હે,નાથ,તમારી જે ભુજાઓએ કાળ અને યમરાજને પણ જીત્યા હતા,તે આજે અનાથની જેમ અહીં પડી છે! વિધાતાની આખી સૃષ્ટિ જે તમારા મસ્તકોને મસ્તક નમાવતી હતી,તે મસ્તકો અહીં ધૂળમાં રગદોળાય છે! અહંકારમાં તમે કોઈનું યે માન્યું નહિ,અને શ્રીરામ સાથે વેર બાંધ્યું,તો આજે તમારા કુળમાં કોઈ રડનારું યે ના રહ્યું,કે ના તમને અગ્નિસંસ્કાર કરનાર પુત્ર પણ રહ્યો.શિવ અને બ્રહ્મા-આદિ દેવો જેમને ભજે છે,તે કરુણાળુ ભગવાનને તમે ભજ્યા નહિ,છતાં તેમણે તમારા પર કૃપા કરી,તમને નિજ-ધામ આપ્યું.ખરેખર,શ્રીરામ કૃપાના સાગર છે.
Feb 19, 2022
Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૨૦૩
સવારમાં જ રાવણને યુદ્ધ કરવા આવેલો જોઈને શ્રીરામ જરા ચિંતાતુર થયા,હજુ ગઈકાલનો થાક પણ ઉતર્યો નહોતો.એ વખતે અગસ્ત્યમુનિ પણ ત્યાં યુદ્ધ જોવા આવેલા હતા તેમણે રામજીને ચિંતાતુર થયેલા જોઈને કહ્યું કે-હે રામ,તમે “આદિત્ય હૃદય” સ્તોત્ર (સૂર્યનું સ્તોત્ર)નો ત્રણ વાર પાઠ કરો તો સર્વ શત્રુઓને જીતી શકશો.સૂર્ય એ બુદ્ધિના માલિક દેવ છે અને રાવણ કાળનું સ્વરૂપ છે.સૂર્યદેવની સ્તુતિ વગર કાળ મરતો નથી.
યજુર્વેદમાં કહ્યું છે કે-સૂર્ય,એ સ્થાવર-જંગમ-તમામ પદાર્થોનો આત્મા છે.ને જગતને પ્રકાશિત કરે છે.
Subscribe to:
Posts (Atom)