રાવણ એ –અહંકાર,મોહ -વગેરે દુર્ગુણોનું પ્રતિક છે.રાવણનાં દશે માથાં અને વીસ હાથ સાથે કાપી નાખવા છતાં તે મરતો નથી.સામાન્ય રીતે,માથું એ બુદ્ધિ અને વિવેકનું પ્રતિક છે.અને હાથ એ કર્મનું પ્રતિક છે. તુલસીદાસજી કહે છે કે-શ્રીરામ વિવેકબુદ્ધિથી,અને હાથ દ્વારા બાણ ચલાવવાનું કર્મ કરી,મોહ રૂપી રાવણનું માથું કાપે છે,પણ પાછું તે મોહનું માથું ઉગી આવે છે.
Page list
- Home
- INDEX
- Pusatakalaya-Library-Gujarati Book
- Gita
- Gyaneshvari Gita
- Ramayan-Rahasya
- Ram Charit Manas
- Shrimad Bhagvat-Gujarati-As It Is
- Bhagvat Rahsya-Gujarati-ભાગવત રહસ્ય
- Yog-Vaasishth
- RajYog
- Mahabharat
- Darshan Shastro
- Veda
- Santo(Saints)
- Upnishads
- stotro
- Puran
- Yoga Shastro-Darshan-Shastro-Brahma Sutra
- Kunlini Chakro
- Shankaracharya Books
- Vishnu Sahastra Naam & Namavali
- Hindi Section-Sivohm
- Interesting Video
- Contact
Feb 27, 2022
Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૨૦૯
રાવણ દુર્ગુણોનો પ્રતિનિધિ છે.અને દુર્ગુણોનો સ્વભાવ છે સંગઠિત થવાનો.સદગુણો સંગઠિત થઇ શકતા નથી.જેમકે-વિશ્વામિત્ર અને વશિષ્ઠ વચ્ચે કે રાજાઓ-રાજાઓ વચ્ચે સંગઠન નથી.એટલે કે આ સદગુણ વચ્ચે વિરોધ ચાલે છે.સદગુણોવાળાનો ઉદ્દેશ –આ લોકમાં પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવાનો હોય છે,તેમને પોતાની,અને પોતાના સદગુણોની જાહેરાત કરવી ગમે છે,અને ગુણગાન કરાવતી વ્યક્તિઓ સામસામી ટકરાય છે.વિરોધ થાય છે.તેમની વચ્ચે-સંગઠન થઇ શકતું નથી,દરેક પોતપોતાના વાડા -“વાદ” –મંદિરો ને આશ્રમો બનાવીને બેસી જાય છે.
Feb 25, 2022
Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૨૦૮
તુલસીદાસજી કહે છે કે-પરશુરામનું ચરિત્ર નદી જેવું છે,તે નદીમાં જયારે ‘અહંકાર’ની રેલ આવી ત્યારે શ્રીરામ તેના પર બંધ બનીને પધાર્યા.પરશુરામજી “પ્રકાશ” સ્વરૂપ છે,
પ્રકાશ આંખને સહ્ય (સહી શકાય તેવો) હોય ત્યાં સુધી વાંધો નહિ,પણ જો પ્રકાશ અતિ તીવ્ર બની જાય તો,તે આંખોને આંજી નાખે ને કશું જોઈ શકાય નહિ,(અંધારું થાય) અંધકાર જેમ કામનો નથી,તેમ તીવ્ર પ્રકાશથી થતો પણ અંધકાર –એ પણ અંધકાર જ છે,તે કશા કામનો નથી.શ્રીરામે રાવણનો દુષ્ટતા-રૂપી અંધકાર હટાવ્યો ને પરશુરામનો તીવ્ર પ્રકાશનો અંધકાર પણ હટાવ્યો.
Feb 24, 2022
Rudraashtaadhyayi-Gujarati Translation-રુદ્રાષ્ટાધ્યાયી
Thanks to Kunal Bhatt for providing this book
Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૨૦૭
રાવણના વધથી દેવો ભલે ખુશ થયા હોય,અને ભલે દેવોને એમ લાગતું હોય કે –અમારું કામ પતી ગયું છે.પણ રામજીને તેમ લાગતું નથી.તેમનું કાર્ય ત્યારે પૂર્ણ થાય.કે જયારે “દુષ્ટો” સાથે “દુષ્ટતાની વૃત્તિ” પણ નાશ પામે.ને રામરાજ્ય સ્થપાય.દેવતાઓની ભોગવૃત્તિ છે,અને આ ભોગ-વૃત્તિ એ સ્વાર્થ-વૃત્તિની બહેન છે.દેવોને તો તેમના રસ્તા પર આવતા કંટકોને દૂર કર્યા સિવાય,તે વિષયમાં બહુ ઊંડા ઉતારવાની ટેવ નથી,કારણકે બહુ ઊંડા ઉતરે તો તેમના ભોગો કેમ ભોગવાય?(સ્વાર્થ) એટલે તો,રાવણ નામનો કાંટો હટી ગયો, એટલે દેવો સમજે છે કે તેમનું કામ પૂર્ણ થઇ ગયું!!!
Subscribe to:
Comments (Atom)